વિશ્વ આખુ કોરનાની મહામારીથી હાંફી ગયુ છે અને ઉભા થઈને ફરીથી બધુ નોર્મલ કરવામાની કોશિશ કરી રહ્યુ છે ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ફસાયેલા શ્રમિકોને પોતાને વતન જવા માટે એજન્ટોનો સહારો લેવો પડી રહ્યો છે. ઓરિસ્સાના શ્રમિકોનો વીડિયો સામે આવ્યો છે.
સુરતમાં શ્રમિકોને ટ્રેનથી વતન મોકલવામાં કાળાબજારી
710 રૂપિયાની ટિકિટના 900 રૂપિયા લેવામાં આવ્યા
બસની ટિકિટના પણ 2 હજારથી 2500 રૂપિયા લેવામાં આવ્યા
લોકડાઉનમાં જો કોઈની દયનિય સ્થિતિ હોય તો તે પ્રવાસી શ્રમિકોની છે. વતન જવા માટે આ શ્રમિકો ગમે તેટલા રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ જાય છે. તેવામાં એજન્ટો પણ ખીસ્સા ભરવા બેઠા હોય તેમ શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સુરતથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં શ્રમિકો પોતાની વ્યથા રજૂ કરી રહ્યા છે.
એજન્ટરાજ ક્યારે ખતમ થશે?
શ્રમિકો પાસેથી ઓરિસ્સાથી ગંજામ જિલ્લા જવા માટે રેલવેની 710 રૂપિયાની ટિકિટના 900 રૂપિયા લેવામાં આવ્યા છે. જ્યારે બસ ભાડુ 2500 રૂપિયા જેટલું લેવામાં આવ્યું છે. આ અગાઉ પણ કાળાબજારીની અનેક ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં એજન્ટરાજ છે કે થમવાનું નામ જ નથી લઈ રહ્યા. અને વતન જવા માગતા શ્રમિકોની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.
નઘરોળ તંત્ર ક્યારે જાગશે
સવાલ સરકાર અને તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. શું સરકારની જવાબદારી નથી બનતી કે આવા એજન્ટો પર કાર્યવાહી કરે. શું આ કાળાબજારી પર બ્રેક ન લાગી શકે. કાળાબજારી કરનારા શખ્સોને પકડીને કડક કાર્યવાહી ન કરી શકે.