ગુજરાત સહિત ભારત પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. હાલ ભારતમાં કોરોના પોઝિટિવનો આંકડો 550 પર પહોંચવા આવ્યો છે ત્યારે 11 જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે એવામાં કેબિનેટ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ દવાઓ અને સેનેટાઈઝર તેમજ બીજી સામગ્રી અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, જરૂરિયાત મુજબ સેનેટાઈઝર અને માસ્કને પહોંચી વળવા માટે યુદ્ધને ધોરણે માસ્ક બનાવાઈ રહ્યા છે.
કોરોનાને લઇ મનસુખ માંડવિયાનું નિવેદન
દર્દીઓની જરૂરિયાતને પહોંચી વળવા સરકાર કટીબદ્ધ
માસ્ક અને સેનેટાઇઝરનું જરૂરિયાત મુજબ થઇ રહ્યું ઉત્પાદન
વિશ્વભરમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા સરકાર કટીબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.
જરૂરિયાત પ્રમાણે 2 કરોડથી વધુ ટેબલેટ ઉપલબ્ધ છે
સાથે જ દાવો કર્યો કે જરૂરિયાત પ્રમાણે માસ્ક અને સેનેટાઇઝરનું દેશમાં ઉત્પાદન થઇ રહ્યું છે. લોકોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણી પાસે 2 કરોડથી પણ વધુ ટેબલેટ ઉપલબ્ધ છે.
દવાનો સંગ્રહ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
બજારમાં કાળા બજારી અને દવાની સંગ્રહખોરી ન થાય તે માટે સરકારે ભાવ પણ નક્કી કર્યા છે. એટલે જો કોઇ પણ વ્યક્તિ દવાની સંગ્રહખોરી કરશે તો તેને છોડવામાં નહીં આવે