વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા સરકારે 21 દિવસનું લોકડાઉન ઘોષિત કર્યું છે.તેવામાં મહાનગરોના લોકોએ પોતાના વતનની વાટ પકડી છે અને ત્યાં પણ લોકડાઉનમાં તેનું પાલન ન કરવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અફડા તફડી મચી જવા પામી છે.તેવા સંજોગોમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું પંડ્યા ના મુવાડા ગામ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યુ છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાની કામગીરી પણ સામે આવી છે.
મહિસાગર દેશ ભરમાં 21 દિવસનો લોકડાઉન
શહેરોમાંથી લોકો ફર્યા પરત
અમદાવાદ,સુરતથી લોકો પરત ફર્યા
પરત ફરતા ઓરોગ્ય વિભાગે કરી તપાસ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોમાં મહાનગરોમા વ્યવસાયર્થે ગયેલા લોકો પરત વતનમાં આવી જતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે છુપી દહેશત છવાઈ જવા પામી છે. જે પૈકી પંડયા ના મુવાડા ગામમાં અમદાવાદ સુરત જેવા મહાનગરોમાંથી વ્યક્તિઓ પોતાના વતનમાં આવી ગયા છે.
સુરતમાં પણ આ અંગે મોટી કાર્વાહી કરવામાં આવી છે.
સુરત મહાપાલિકાની કાર્યવાહી, રાંદેર વિસ્તાર ક્વોરેન્ટાઈન
એક કિલોમીટરનો વિસ્તાર કરાયો ક્વોરેન્ટાઈન
રાંદેરમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ હતો
કોરોના વાયરસ મુદ્દે સુરત મનપાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાંદેર વિસ્તારમાં માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યું છે. એક કિમી વિસ્તારને માસ ક્વોરોન્ટાઇન કરાયો છે. રાંદેરમાં 1 દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો
સુરતમાં લૉન્ડ્રીનું કામ કરતા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા સાવચેતીના પગલે આખા વિસ્તાર 16,785 ઘરોનો સર્વો કરવામાં આવ્યો છે. 54,003 લોકોને માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા. વિસ્તારની તમામ ઇમારતને ડિસઇન્ફેક્ટિંગ કરવામાં આવ્યું છે અને 55 જેટલી સર્વેલન્સ ટીમ કામ કરી રહી છે.
અન્ય ગામમાં સંક્રમણ ન લાગે એટલે લેવાયો નિર્ણય
પ્રવર્તમાન પરિસ્થિતિના પગલે બહારથી આવેલા લોકોને કારણે ગામના અન્ય ગામલોકોમાં સંક્રમણની સંભવિત સ્થિતિને ટાળવા આરોગ્ય વિભાગ દ્વારા ગામ બહાર બોર્ડ લગાવી સમગ્ર ગામને ક્વોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી આવેલ લોકો સાથે નિશ્ચિત અંતર રાખવા તેમજ સરકારના લોકડાઉનનો પૂર્ણ પણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર
પંડયાના મુવાડા ગામમાં 45 જેટલા ઘર આવેલા છે તેમાં સ્થાનિક 30 વ્યક્તિઓ હાલમાં રહે છે અને મૂળ ગામના વતની પરંતુ હાલ અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાંથી બહારથી આવેલા 180 લોકો છે. જેના કારણે આખું ગામ કોરંટાઈન જાહેર કરેલું છે. આ ઉપરાંત વડાગામ પાસે આવેલું મકરના મુવાડા ગામને પણ કોરાંટાઈન જાહેર કરવામાં આવ્યું છે. ખાનપુર તાલુકા 3351 વ્યક્તિઓને કોરાંટાઈન કરવામાં આવ્યા છે. આજના દિવસે 1383 વ્યક્તિઓનેવ્યક્તિઓને કોરાંટાઈન કરવામાં આવ્યા છે.મહીસાગર જિલ્લાનું પંડ્યા ના મુવાડા અને મકરના મુવાડા આખું ગામ કોરાંટાઈન જાહેર કરાયું