મહામારીમાં મહીસાગરમાં ભાજપના નેતા ડીજેને તાલે ઝુમે છે.
મહીસાગરમાં લગ્નમાં કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા
ભાજપના જુવાનસિંહ ચૌહાણ લગ્નમાં DJના તાલે ઝૂમ્યા
માસ્ક, સામાજિક અંતરનું જુવાનસિંહ સહિત અન્ય લોકો ભૂલ્યા ભાન
મહીસાગરમાં લગ્નમાં કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ભાજપના જુવાનસિંહ ચૌહાણ લગ્નમાં DJના તાલે ઝૂમી ઉઠ્યા હતા. માસ્ક, સામાજિક અંતરનું જુવાનસિંહ સહિત અન્ય લોકો ભાન ભૂલ્યા હતા.
લગ્નમાં DJની મંજૂરી પણ મળતી નથી છતાં DJ વગાડી નેતા નાચ્યા હતા. ત્યારે એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ અને કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે આ રીતે સરેામ નેતાઓ જ કોરોનાના નિયમોનો ભંગ કરે તે કેટલુ યોગ્ય તેવા સવાલો ઉઠી રહ્યા છે.
સળગતા સવાલ
શું ભાજપના નેતાઓને કોરોનાની ગંભીરતા નથી?
ભાજપના નેતા હોય તો કોરોના ના થાય એવું છે?
શું પોલીસ આમની સામે કાર્યવાહી નહીં કરે?
નિયમોના ભંગ બાદ પણ નેતાઓ સામે નથી થતી કાર્યવાહી?
કોરોના મહામારીમાં કેમ આવા આયોજનો કરી રહ્યાં છે?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,618 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,61,493 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 476 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...