કોરોનાએ ગમે તેમ કરીને લોકોને પરેશાન કરવાનું નક્કી કરી લીધુ છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન થતાં રોજનું કમાઈને રોજનું ખાતા અને કામની જગ્યાએ જ રહેતા શ્રમીકો માટે ઉપર આભ અને નીચે ધરતી પણ ખસી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મહેસાણા પાસે ખાંડની ટ્રકમાં બેસીને શ્રમીકો રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ટ્રક પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 3ના મોત થયા છે અને 6 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે.
મહેસાણાના જગુદણ ગામ નજીક અકસ્માત
ટ્રક પલ્ટી જતા 3ના મોત અન્ય 6ને ઈજાઓ
ખાંડ ભરેલી ટ્રકમાં શ્રમિકો કરી રહ્યા હતા મુસાફરી
કોરોનાનો કહેરથી 3 મોત થયા છે અને 3 મોત કોરોનાના ડરના કારણે થતા ખળભળાટ મચી ગયો છે. દહાડી કરીને ખાતા લોકોની બુરી વલે થઈ છે. તેમને ના સરકારી યોજનાઓની માહીતી છે ન સહાયની ખબર. રાજસ્થાનથી હજારો લોકો ગુજરાતમાં પેટીયુ રડળવા આવે છે. ત્યારે હાલ નોકરી-ધંધા બંધ થઈ જતા તમામ લોકો રસ્તે આવી ગયા હતા અને પબ્લીક ટ્રાન્સપોર્ટ બંધ થતા તમામ લોકો ચાલતા જ વતનની વાટ પકડી હતી.
ચાલતા વતન જઈ રહેલા લોકોને બેસાડ્યા હતા ટ્રકમાં
ચાલતા વતન જતા શ્રમિકોને ટ્રકમાં બેસાડ્યા હતા. તમામ મૃતકો રાજસ્થાનના હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.