ગુજરાતમાં લોકડાઉનના અઠવાડિયે પ્રજા અને પોલીસ બંને પરેશાન છે ત્યારે ક્યાંક પોલીસ મસિહા બનીને કામ કરતી જોવા મળી છે તો ક્યાંક મગજ પરનો કાબુ ગુમાવતી પણ નજરે પડી રહી છે. આ જ આક્રોશ સાથે નિકોલમાં કેટલાક શાકની લારીવાળા લોકો ઉપર ત્રાટકેલા પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ છે અને VTVના અહેવાલની અસર પડી છે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રજા ઉપર લાઠીચાર્જ કરવા પણ પર પોલીસ કર્મીઓ ઉપર કાર્યવાહીના આદેશ અપાયા છે.
VTVના અહેવાલ બાદ પોલીસ કમિશનરે આપ્યા આદેશ
પોલીસ કમિશનરે જવાબદાર સામે કાર્યવાહી કરવાના આપ્યા આદેશ
દાદાગીરી કરતા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ
અમદાવાદમાં પોલીસકર્મી દ્વારા એવી હરકત કરવામાં આવી છે જેનાથી પરેશાન પ્રજા ઓર પરેશાન થઈ ગઈ છે.
શાકભાજીની લારીઓને પોલીસે ઊંધી પાડી દીધી
અમદાવાદના નિકોલમાં પોલીસની કાર્યવાહીનો વીડિયો જોઈને એમ થાય કે ખરેખર શું લોકડાઉન અને સતત કામના ભારણ વચ્ચે પોલીસકર્મી માનસીક તણાવમાં છે? કારણ કે આક્રોશ સાથે નિકોલમાં પોલીસે શાકભાજીની લારી ઉંધી પાડી દીધી હતી. શાકભાજી લેવા લોકોની ભીડ એકઠી થતા લારી ઉંધી પાડી દીધી હતી.
VTVના અહેવાલ બાદ પોલીસ કમિશનરે આપ્યા આદેશ
શાકભાજીની લારી ઉંધી પાડી દીધાના VTVના અહેવાલ બાદ પોલીસ કમિશનરે જવાબદાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. દાદાગીરી કરતા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ અપાયા છે.
એક તરફ કમાણી નથી અને આ વેડફાટ?
એક તરફ લોકો અઠવાડિયાથી ભૂખ્યા હોય તેવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે ત્યારે પોલીસકર્મીઓનું આ કૃત્ય ક્યારેય ક્ષમ્ય નથી. પોલીસ કમિશનર દ્વારા પોલીસકર્મીઓને આર્થિક નુકસાન ભરપાઈ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યા છે. પોલીસકર્મીઓએ ભીડ એકઠી થવાના બહાને લારી કરી હતી ઊંધી