ગુજરાતમાં કોરોનાવાયરસને કારણે 3 લોકોના જીવ ગયા છે. 43 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એક જ અઠવાડિયામાં ગુજરાત કોરોનાગ્રસ્ત થઈ ચુક્યુ છે ત્યારે 21 દિવસના આખા દેશના લોકડાઉનમાં સાબરકાંઠામાં એક પ્રેરણા દાયી કિસ્સો બન્યો હતો. એક સદગતનું બેસણું ફેસબુક લાઈવ વીડિયો કોન્ફરન્સથી યોજવામાં આવ્યું હતુ.
જયંતી દરજીનું અવસાન થતા ડીજીટલ બેસણું યોજાયું
કોરોનાને ધ્યાને લઇ યોજાયુ ડીજીટલ બેસણું
ફેસબુક લાઇવના માધ્યમથી 300થી વધુ સગા-સંબધી જોડાયા
પુંસરી ગામમાં જયંતિભાઇ દરજીનું અવસાન થયું હતું. અવસાન અને ત્યારબાદ બેસણામાં સામાન્ય રીતે સગાસંબધીના ધાડેધાડા આવે . પરંતુ અવસાનના દિવસે જ એવો નિર્ણય લેવામાં આવ્યો કે સ્વ. જયંતિભાઇ દરજીના કોઇ પણ સ્વજનો પુંસરી નહીં આવે અને 1 જ દિવસમાં સુતક-બેસણું તમામ લૌકિક ક્રિયા પૂર્ણ કરાશે. જેના ભાગરૂપે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફેસબુક લાઇવના માધ્યમથી 300થી વધુ સગા-સંબધી જોડાયા હતા. દીકરા મિલને મુંબઇથી ફેસબુકથી બેસણામા હાજરી આપી હતી. તમામ સગા સંબંધીઓ પણ બેસણામાં ડીજીટલી જોડાયા હતા.
ફેસબુક લાઈવ કરી યોજ્યુ બેસણું
ફેસબુક લાઇવ અને વિડિયો કોન્ફરન્સથી યોજાયેલા આ બેસણમાં આજુબાજુનાના ગામમાં રહેતા સ્વજનોએ જ નહીં મુંબઇમાં રહેતા સ્વ. જયંતિભાઇના પુત્ર પણ તે ડિજિટલ બેસણામાં જોડાયા હતા. અંદાજે 150થી વધુ લોકોએ ડિજિટલ બેસણમાં શ્રદ્ધાંજલિ આપી હતી. બેસણાના સ્થળે માત્ર 5 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દેશનું આ પહેલું ડિજિટલ બેસણું
આ સાથે જ પુસંરી ગામ અને સ્વ.જયંતિ દરજીના સ્વજનોએ હાલના સમયમાં ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તલોદ તાલુકામાં આવેલા પુંસરી ગામને ગત વર્ષે દેશનું શ્રેષ્ઠ ગામ જાહેર કરાયું હતું. હાલ કોરોનાની આપદા આવી પડી છે ત્યારે અનેક લોકો હવે ટેલિફોનિક બેસણા પણ કરી રહ્યા છે. જેમાં મૃત્તકના પરિવાના સદસ્યોને સ્વજનો ટેલિફોન કરી શ્રદ્ધાંજલિ આપે છે.