લોકડાઉન હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરીને ગઈકાલ રાતથી જ દેશભરમાં લોકડાઉન જાહેર કર્યો છે. જો આ લોકડાઉનને કારણે પણ લોકો ઘરમાં નહીં રહે તો સરકારે કડક બનીને પગલા લેવા જોઈએ આ અંગે ગુજરાત BTPના ધારાસભ્યેએ આકરી ફેસબુક પોસ્ટ કરી દીધી છે જેને પગલે ચકચાર મચી ગઈ છે.
કોરોના સંકટ વચ્ચે છોટુ વસાવાએ કરી ચર્ચાસ્પદ પોસ્ટ
લોકડાઉનનું પાલન ન કરે તો ઠાર મારવાનો ઓર્ડર કરે સરકાર
BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુકમાં મુકી પોસ્ટ
મહામારી વચ્ચે ઘરોની બહાર નીકળતા લોકો પ્રત્યે ધારાસભ્ય છોટુ વસાવાએ ખુબ જ આકરી ફેસબુક પોસ્ટ કરી છે. ભરૂચમાં કોરોના સંકટ વચ્ચે છોટુ વસાવાએ ચર્ચાસ્પદ પોસ્ટ કરી છે. લોકડાઉનનું પાલન ન કરે તો ઠાર મારવાનો સરકારે ઓર્ડર કરવો જોઈએ.
BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુકમાં પોસ્ટ કરી છે. મહામારી વચ્ચે ઘરોની બહાર નીકળતા લોકો પ્રત્યે તીખી પ્રતિક્રીયા આપી છે.
ગઈકાલ રાતથી ભારત લોકડાઉન
ગઈકાલ રાતથી ભારતમાં લોકડાઉનની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે. આ લોકડાઉન 21 દિવસ એટલે કે 14મી એપ્રિલ સુધી ચાલવાનું છે.