લોક ડાઉન અને કલમ 144ની વચ્ચે પણ ગુજરાતીઓ અવનવા બહાના કરીને ઘરમાં રહેવાની બદલે કોરોના વાયરસના વાહક બની રહ્યા છે. જૂનાગઢમાં સરકારી વાહનોનો દુરુપયોગ સામે આવ્યો છે. ખુદ ગામના સરપંચે જ સુરતથી લોકને એમ્બ્યુલન્સમાં બેસાડીને જૂનાગઢના ભેંસાણ લઈ આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ભેંસાણ સરપંચ સહિત કુલ 10 સામે નોંધાઇ ફરીયાદ
ગ્રામપંચાયતની એમ્બ્યુલન્સનો ગેરકાયદેસર ઉપયોગ કરતા નોંધાઇ ફરીયાદ
સુરતથી આવતા 9 વ્યકિતને ભેંસણા લઇ આવતા હતા નોંધાઇ ફરીયાદ
જૂનાગઢમાં એમ્બ્યુલન્સનો એક ખતરનાક ઉપયોગ સામે આવ્યો છે. જૂનાગઢના ભેંસાણમાં લોકડાઉનમાં પણ સુરતથી જૂનાગઢ માણસોની હેરાફેરી કરવામા આવી રહી છે. ગ્રામ પંચાયતની એમ્બ્યુલન્સનો ગેરકાયદે ઉપયોગ કરતા ફરિયાદ થઈ હતી.
સુરતથી 9 લોકો સરકારી એમ્બ્યુલન્સમાં ભેંસાણ આવ્યા
સુરતથી આવતા 9 વ્યક્તિને ગ્રામ પંચાયતની એમ્બ્યુલન્સમાં ભેંસાણ લઇ આવવામાં આવ્યા હતા.
જૂનાગઢના ભેંસાણના સરપંચ સહિત 10 લોકો સામે ફરિયાદ
જૂનાગઢના ભેંસાણના સરપંચ સહિત 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉન અને કલમ 144ના જાહેરનામા ભંગ કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ભેંસાણ પોલીસે હાથ વધુ તપાસ હાથ ધરી છે.