રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે તમામ આંતરરાજ્ય અને જિલ્લાની બોર્ડરો સીલ કરવામાં આવી છે. સાબરકાંઠા, અમરેલી અને અરવલ્લી જિલ્લાની તમામ બોર્ડર સીલ કરાઈ છે. ત્યારે ગુજરાતમાંથી રાજસ્થાન જવા માટે કોઈ વાહન ન મળતા હજારો લોકોએ ચાલતી પકડી હતી અને પગપાળા જ રાજસ્થાન પહોંચવાનું નક્કી કરી લીધુ હતુ. આ એ શ્રમીકો છે જે રાજસ્થાનમાંથી રોજીરોટી કમાવવા ગુજરાત આવે છે. આ તમામ લોકો એક દિવસની દહાડી ઉપર કામ કરાનારો વર્ગ છે જે વેપારધંધા બંધ થઈ જતા વતનની વાટ પકડી હતી.
અમદાવાદથી શામળાજી તરફ લોકોનું ચાલતા પ્રયાણ
ST બસો,ખાનગી ટ્રાવેલ્સો બંધ થતા લોકો પગપાળા નીકળ્યા
મોડીરાતથી 5 હજાર લોકો નેશનલ હાઇવે પર ચાલી રહ્યાં છે
અમદાવાદ-ઉદેપુર હાઇવે પર લોકોની ભીડ
રાજસ્થાનથી આવનાર તમામ વાહનોને પોલીસે અટકાવ્યા છે. અન્ય જિલ્લામાંથી આવતા વાહનોનું પણ ચેકિંગ કરાઈ રહ્યું છે. અમરેલીમાં સુરતથી લોકોનું નિરીક્ષણ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તંત્રની લોકોને અપીલ છે કે બહાર ન નીકળે.
કોરોનાથી શ્રમજીવીઓની 250 કીમીની ઘર તરફની પદયાત્રા
પોલીસ દ્વારા અમરેલીની બોર્ડર સીલ કરવામાં આવી છે.. બોર્ડર સીલ થતા લોકો શામળાજીથી ચાલીને નિકળી રહ્યા છે. ST બસ, ખાનગી ટ્રાવેલ્સ બંધ થતા લોકો પગપાળા નીકળ્યા છે. મોડી રાતથી પાંચ હજાર જેટલા લોકો નેશનલ હાઈવે પર ચાલી નિકળ્યા છે. અમદાવાદથી ઉદેપુર જવાના 250 કિલોમીટર સુધીના હાઈવે પર લોકો ચાલીને નિકળ્યા છે
લોકડાઉનમાં હોસ્પિટલ, કરિયાણા, શાકભાજી, મેડિકલ, પેટ્રોલપંપ ચાલુ રહેશે. તો આ તરફ અરવલ્લીની શામળાજી બોર્ડર સીલ કરતા લોકો પગપાળા નિકળ્યા હતા. ST બસ, ખાનગી ટ્રાવેલ્સ બંધ થતા મોડીરાતથી 5 હજારથી વધુ લોકો હાઈવે પર નિકળ્યા હતા.
ખેડામાં સેવાલિયા પોલીસે શ્રમિકોને કરી મદદ
શ્રમિક પરિવારો અમદાવાદથી ચાલતા નિકળ્યા હતા. પોલીસે શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી.
પંચમહાલના સંતરામપુરના શ્રમિકો વતન જવા નિકળ્યા હતા. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ થતા લોકો ચાલતા જવા નિકળ્યા હતા. પોલીસ શ્રમિકો વતન મુકવા જવા માટે વાહનની વ્યવસ્થા કરી આપી હતી.