ગુજરાતમાં લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે ત્યારે લોકડાઉનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ખુલ્લુ રહેતી દુકાનોના સમય વધી શકે તેમ છે. સૂત્રોના જણાવ્યાનુસાર લોકડાઉનમાં જે રાહત આપવામાં આવી છે તે યથાવત જ રહેશે ઉલાટાનું છુટછાટ વધારવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી છુટછાટ બંધ થવાની અને લોકડાઉન વધુ કડક થવાની ચર્ચાઓ વહેતી થઈ હતી જેની સ્પષ્ટતામાં લોકડાઉમાં છુટછાટ યથાવત રહેશે તેવા ગાંધીનગરથી સમાચાર વહેતા થયા છે.
સરકાર લોકડાઉનમાં મળેલ છૂટછાટમાં કોઈ ફેરફાર કરશે નહીં
આગામી સમયમાં દુકાનો માટે 6 વાગ્યા સુધીનો સમય થઇ શકે છે
અત્યારે 4 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવા અપાઇ છે મંજૂરી
રાજ્યમાં લોકડાઉનને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે. સરકાર લોકડાઉનમાં મળેલી છૂટછાટમાં કોઈ ફેરફાર કરવાનું નથી. સરકારે આપેલી છૂટછાટ હાલ યથાવત રહેશે. છેલ્લા કેટલાક સમયથી ફરીથી સજ્જડ લોકડાઉન કે ક્ફર્યુ લાગવાની વાતો વચ્ચે ગાંધીનગરથી સમાચાર આવ્યા છે.
દુકાનોના સમય બદલાશે
મળતી માહિતી મુજબ આગામી સમયમાં દુકાનો માટે 6 વાગ્યા સુધીનો સમય થઇ શકે છે. અત્યારે 4 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. હવે પછી તબક્કાવાર નવી ST બસો ચાલુ કરવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ પણ વધશે.
ગુજરાતમાં આંકડાકિય માહિતી
ગુજરાતમાં 14,460 લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે અને 888 લોકોના મોત થઈ ચુક્યા છે. અમદાવાદમાં 10,590 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં 722 લોકોના મોત થઈ ચુક્યા છે.