આજે પુરવઠા વિભાગના CMO સચિવ અશ્વિનીકુમારે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં લોકડાઉન 4ને લઈને અગત્યની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતુ કે, સીએમ રૂપાણી સાંજે પાંચ વાગે આ અંગે મહત્વની બેઠક બોલાવી છે જેમાં CM રૂપાણી મહત્વના નિર્ણય લેશે.
કેન્દ્રની ગાઈડલાઈન બાદ સાંજે 5 વાગ્યે CM બેઠક કરશે
સાંજે 5 વાગ્યે CMની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક
આવતીકાલથી કેવી રીતે આગળ વધવું તે અંગે ચર્ચા થશે
લોકડાઉન 4ને લઈને CMO સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી છે. જેમાં આજ રાત સુધીમાં ગુજરાત સરકાર નવી ગાઇડલાઇન જાહેર કરશે. કેન્દ્રની ગાઈડલાઈન બાદ સાંજે 5 વાગ્યે CM બેઠક કરશે. અને આવતીકાલથી કેવી રીતે આગળ વધવું તે અંગે ચર્ચા થશે.
મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં ઓફિસો, ટ્રાન્સપોર્ટ ઓપન કરવા અંગે પણ વિચારણા થશે. આ ઉપરાંત જિલ્લા, શહેરો અને મનપામાં ગતિવિધિઓ અંગે ચર્ચા થશે. કેન્દ્રની ગાઈડલાઈનના આધારે રાત સુધીમાં ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.