ગુજરાતમાં કોરનાના કહેરને કારણે લોકડાઉન વધશે. રાજ્ય સરકારે આ અંગે તમામ તૈયારી કરી લીધી હોવાનો ગણગણાટ છે પણ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જ રાજ્ય સરકાર મહોર મારશે. ગુજરાતમાં હાલ ઈક્યુબેશનનો પિરિયડ ચાલી રહ્યો છે જેને કારણે મે મહિનાના પહેલા અઠાવડિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થશે. એટલે આવા સમયે લોકડાઉન ખોલવું એ ખતરા સમાન છે તેથી રાજ્ય સરકાર જ્યાં કોરનાના ક્લસ્ટર ઝોન છે તે વિસ્તાર અને શહેરમાં લોકડાઉન ખોલવા ઈચ્છતી નથી.
ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન 3.0
વધુ કેસ ધરાવતા શહેરોમાં આવી શકે છે લોકડાઉન
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં લંબાઈ શકે લોકડાઉન
ગુજરાતમાં વધી શકે છે લોકડાઉનની સમયમર્યાદા
ગુજરાતમાં 3 મે બાદ પણ લોકડાઉન 3.0 લાગુ થઈ શકે છે. કોરોનાના કેસમાં થતા સતત વધારાના કારણે નિર્ણય લેવાઈ શકે છે. લોકડાઉન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં લંબાઈ શકે છે.
રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહી છે
3 મેના રોજ લોકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે. ગ્રીન ઝોનમાં આવતા શહેરોને છૂટછાટ મળી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ છૂટછાટ અપાય તેવી પણ શક્યતા છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ફરજિયાત, નિયમો કડક બનશે. રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસ 4000 ઉપર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4082 થઇ છે. જ્યારે 16 દર્દીઓના આજે મોત થયા છે.
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 197 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 93 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 527 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.