ગુજરાતમાં લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળી પડ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં એકનું મોત પણ થઈ ચૂક્યુ છે. તેમ છતાં લોકો સમજતા નથી અને કાલે જનતા કર્ફ્યુ બાદ આડે લોકડાઉનને અવગણીને ઘરની બહાર નીકળી રહ્યા છે.
લોકડાઉન હોવા છતા રસ્તા પર લોકો
સરકારની ગાઈડલાઈનનો ઉલ્લંઘન
ઘરથી બહાર ન નિકળવાની અપીલ
ગુજરાતમાં લોક ડાઉન છતાં લોકો જાહેર રસ્તાઓ પર નીકળી પડ્યા છે. અમદાવાદમાં કલમ 144 ઉપરાંત લોકડાઉન પણ જાહેર કરાયું છે. લોકો બહાર નીકળી એડવાઈઝરીનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કાલે બંધ રહેલા સિગ્નલો આજે ફરીવાર ચાલુ થયા છે. બહાર નીકળી લોકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. vtv લોકોને ઘરમાં જ રહેવાની કરે છે અપીલ
કાલે જનતા કર્ફ્યુ માં અમદાવાદ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
કોરોને લઇ 10થી વધુ રાજ્યો લોકડાઉન
આજ સવારથી દિલ્લીમાં લોકડાઉન અને બોર્ડર સીલ
જ્યાં કોરોનાના કેસ છે તેવા 75 જિલ્લા લોકડાઉન
31 માર્ચ સુધી ટ્રેન, મેટ્રો અને આંતરરાજ્ય બસ સેવા બંધ
ભારતમાં કોરોનાના અત્યારસુધી 417 કેસ અને 7 લોકોના મોત
લોકડાઉનમાં શું થાય છે?
લોકડાઉન એટલે તાળાબંધ એટલે બધુ જ બંધ
ઇમરજન્સીના સમયમાં લોકડાઉન કરાય છે
માત્ર જરૂરી ચીજવસ્તુઓ જ લેવા બહાર નીકળી શકો છો
લોકડાઉમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની સપ્લાય જારી રહે છે
દવા, રાશન, બેંક, હોસ્પિટલ, શાકભાજી લેવા બહાર જઇ શકો છો