ગુજરાતમાં લોકડાઉ 5 આવશે કે નહીં તે તો હજુ નક્કી નથી પરંતુ પાછલા લોકડાઉનમાં આજ દિન સુધી શું વધારા ઘટાડા થયા તે જોઈએ તો લોકડાઉન 3માં સૌથી વધુ દૈનિક સરેરાશ કેસ નોંધાયા છે. જ્યારે લોકડાઉન ચારમાં આ પ્રમાણ ધીરે ધીરે ઓછુ થઈ રહેલું દેખાય છે.
ગુજરાતમાં ચાર લોકડાઉન દરમિયાન કેસમાં વધઘટ
લોકડાઉન 4માં ઘટ્યા કેસ
લોકડાઉન 3માં સૌથી વધુ સરેરાશ કેસ
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ધીરે ધીરે વધી રહેલા કેસ એકદમ જ વધી ગયા હતા. અત્યાર સુધીમાં 4 લોકડાઉન લાયક થયા છે. ત્યાં સુધીમાં લોકડાઉન 1, લોકડાઉન 2, લોકડાઉન 3 અને લોકડાઉન 4 પણ 31મી મે ના રોજ ખતમ થવાનું છે. ત્યારે ગુજરાતમાં આજની તારીખ સુધીના લોકડાઉન પ્રમાણે કેસ અને મરણની વિગતો જોઈએ તો ગુજરાતનો કોરોના ગ્રાફ આપણને સાફ નજર આવશે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસની સંખ્યા વધીને 15,572 થઇ ગઈ છે. સારવાર બાદ 8003 લોકો સાજા થયા છે. રાજ્યમાં 6599 એક્ટિવ કેસ છે. કોરોનાથી રાજ્યમાં કુલ 960 લોકોના મૃત્યુ થયા છે.