ગુજરાતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે જનજીવન સામાન્ય કરવામાં પ્રયાસ કરાઈ રહ્યા છે જેમાં કચ્છ-ભુજમાં 100 જેટલી એસટી બસોને મુસાફરી માટે તૈયાર કરવાના આદેશ આપી દેવાયા છે એટલું જ નહીં આ માટે ડ્રાઈવરને પણ તેનાત કરવાની સૂચનાઓ અપાઈ ગઈ છે.
ક્ચ્છ એસટી વિભાગને કરાયુ એલર્ટ
ભુજ એસટી ડેપોને 100 બસ તૈયાર કરવા અપાઈ સૂચના
200 ડ્રાઇવરને હાજર રાખવા અપાઈ સૂચના
લોકડાઉન વચ્ચે કચ્છમાં 100 ST બસને તૈયાર રાખવા આદેશ અપાયો છે. કચ્છ એસટી વિભાગે એલર્ટ કરવામાં આવ્યું છે. અને ભુજ એસટી ડેપોને 100 બસ તૈયાર કરવા સૂચના અપાઇ છે.
200 ડ્રાઇવરને હાજર રાખવા અપાઈ સૂચના
સાથે જ 200 ડ્રાઇવરને હાજર રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. દરેક બસ દીઠ બે ડ્રાઇવર તૈયાર રાખવા કહેવાયું છે. અને કોરોનાને લઇ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.
કચ્છમાં શું છે સ્થિતિ
કચ્છમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે જેમાંથી એકનું મોત થયું છે. અન એક દર્દી સાજુ થયુ છે. ગુજરાતમાં હાલ સ્થિતિ કટોકટી ભરેલી છે. 127 લોકોના મોત અને 2815 લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે જ્યારે 265 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.