ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરો બાદ ગામડાઓમાં કોરોના વિસ્ફોટ નોંધાઈ રહ્યા છે. જેતપુરના ઉપલેટના ભાયવદરમાં કોરોના વિસ્ફોટ થયો છે.
ઉપલેટાના ભાયવદર ગામમાં કોરોના વિસ્ફોટ
એકસાથે ભાયવદર ગામમાં 300 એક્ટિવ કેસ
6 વ્યક્તિના કોરોનાથી કરૂણ મોત
ઉપલેટાના ભાયવદર ગામમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. 300 એક્ટિવ કેસ સાથે ગામમાં કોરોના બૉમ્બ ફૂટ્યો છે. 6 જેટલા વ્યક્તિ કોરોનાથી મોત થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઉપલેટાના ભાયાવદરમાં સ્વયંભૂ લોકડાઉન
એકસાથે આટલા એક્ટિવ કેસ અને કોરોનાથી મોતને કારણે ઉપલેટાના ભાયાવદરમાં સ્વયંભૂ લોકડાઉન કરી દીધુ છે. શુક્ર, શનિ અને રવિ 3 દિવસ સ્વૈચ્છિક લોક ડાઉન રહેશે. સ્વયંભૂ લોકડાઉનના પગલે ભાયવદર સજ્જડ બંધ રહેશે. ભાયાવદરની જનતાએ પણ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સહકાર આપ્યો છે અને આપી રહી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત