સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આજથી જ જનતાએ બજારોમાં ન નીકળી અને વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને કોરોના વાયરસ વધુ ન વિસ્તરે તે માટે લોક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વિરપુર કોરોના વાયરસનો કહેર
લોકો આજથી જ કર્ફ્યુનો કરી રહ્યાં છે અમલ
લોકો બંધ પાળી કર્યો અમલ, સાવચેતીને લઇ લોકોએ બંધ પાડ્યું
કોરોના વાયરસનો હાહાકારને લઈને દેશભરમાં પ્રધાનમંત્રીએ રવિવારના રોજ લોકોએ જનતા કરફ્યુ પાળવાની લોકોને અપીલ કરી છે. ત્યારે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરના લોકોએ આજથી જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અપીલને સ્વીકારીને જનતા કર્ફયુંનો અમલ કર્યો છે. યાત્રાધામ વિરપુરમાં બીરાજતા સંત શીરોમણી પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે બારેમાસ ભાવીકોની ભીડ જોવા મળતી હોય છે.
ધંધા રોજગાર બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો
ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસને લઈને સરકારે કોરોના સામે કરેલ લોકજાગૃતિની અપીલને લોકોએ સ્વીકાર છે. જેમને કારણે યાત્રાધામ વિરપુરમાં ભાવીકોની સંખ્યા નહિવત જોવા મળી છે. તો બીજી તરફ વિરપુર વેપારી મંડળ અને ગ્રામજનો દ્વારા પ્રધાનમંત્રીની જનતા કર્ફયુંના એક દિવસ પહેલા જ અમલ કરીને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો.
કોરોના વાયરસ વહેલામાં વહેલા દેશ નિકાલ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી
વિરપુરવાસીઓ તેમજ વેપારીઓએ શનિવાર અને રવિવાર બે દિવસ કર્ફયુંનો દેશભરમાં પ્રથમ અમલ કરતું ગામ બની ગયું છે. ત્યારે વેપારીઓ દ્વારા લોકોમાં કોરોના સામે જાગૃતા આવે તે માટે જાહેરમાં થૂંકવુ નહીં જેવા સૂચન બોર્ડ પણ લગાવ્યા હતાં તેમજ જનતા કરફ્યુ લોકોએ સ્વેચ્છાએ અમલ કરીને દરેક પોતાના ઘરમાં જ પુરાયેલા જોવા મળ્યા હતા જેમને કારણે વિરપુરમાં કર્ફયું જેવો માહોલ જોવા મળતાંની સાથે પૂજ્ય જલારામ બાપાને કોરોના વાયરસ વહેલામાં વહેલા દેશ નિકાલ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી