દેશમાં કોરોના વાયરસા વધતા કેસ વચ્ચે મહત્વના સામાચાર છે. કોરોના વાયરસના કહેરને લઇ આયુર્વેદ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ઋતુ પ્રભાવથી વકરેલા કોરોનાનું જોર ધીમે ધીમે ઘટી શકે છે.
શું કહે છે આયુર્વેદનો અભ્યાસ?
કેવી રીતો વકર્યો કોરોના વાયરસ?
ઋતુ પ્રભાવથી કેટલી અસર પડે છે?
વસંત ઋતુ પુર્ણ થતા ધીમે ધીમે કોરોના ઓછો થશે
2020માં શરદ ઋતુના ભાદરવા અને આસોમાં કોરોના વકર્યો હતો. અને હવે વસંત ઋતુના ફાગણ અને ચૈત્ર દરમિયાન કોરોના વકર્યો છે. ત્યારે 20 એપ્રિલે વસંત ઋતુ પુર્ણ થતા ધીમે ધીમે કોરોના ઓછો થશે. વસંત ઋતુમાં કફની સમસ્યા વધે છે તેના કારણે કોરોના વધુ ઘાતકી બન્યો છે.
વસંત અને શરદ ઋતુમાં ખાંસી, કફ, તાવના કેસ વધે
આ અંગે આયુર્વેદ નિષ્ણાંતે કહ્યું કે, કફ, શરદી, ઉધરસ અને શ્વાસ ચડવાના કારણે કોરોના વધ્યો છે. કોરોનાના કારણે કફ શરીરમાં ફેફસામાં અને અન્ય જગ્યાએ જામી જાય છે. કફ જામી જતા તમામ નસોને બ્લોક કરી શકે છે. કફ સૂકાઇ જાય છે એટલે જાળાં ફેફસામાં જામવા લાગે છે અને ઓક્સિજનની અછત વર્તાય છે.
કોરોના ન હતો ત્યારે પણ વસંત અને શરદ ઋતુમાં ખાંસી, કફ, તાવના કેસ વધતા હતા. ઋતુના પ્રભાવથી સામાન્ય ગણાતા શરદી, કફ, પિત્ત અને તાવ પર અંકુશ માટે લીમડાનો મોર પીવો જોઇએ. લીમડાના મોરનો કડવો રસ કફ ઘટાડે છે. લીમડામાં એન્ટી વાયરલ ગુણ છે. કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ કાયમ માટે વધારવી પડશે.
શું કહે છે આયુર્વેદનો અભ્યાસ?
ઋતુ પ્રભાવથી વકરેલા કોરોનાનું જોર ધીમે ધીમે ઘટી શકે છે
2020માં શરદ ઋતુના ભાદરવા અને આસોમાં કોરોના વકર્યો હતો
વસંત ઋતુના ફાગણ અને ચૈત્ર દરમિયાન કોરોના વકર્યો છે