ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન પહોંચાડવા અને ગુજરાત બહાર ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા ગુજરાત સરકારે તજવીજ હાથ ધરી દીધી છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પછી 8 IPS અને 8 IAS ઓફિસરની રાજ્યો વાઈઝ ટીમ બનાવીને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે IPS હસમુખ પટેલે ટ્વીટર ઉપર જણાવ્યું હતુ કે મને લોકો દ્વારા ખબર પડી છે કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે
સરકારે નિમેલા નોડલ ઓફિસર શું આ વાતથી અજાણ?
IPS હસમુખ પટેલની ટ્વીટથી વિવાદ
આજથી યુદ્ધના ધોરણે કરાઈ રહી છે કામગીરી અને યોદ્ધા જ અજાણ
ટ્વીટ કરીને હસમુખ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારે હસમુખ પટેલને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી છે. ત્યારે ખરેખર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર આ અધિકારીઓને સરકારે આ વિશે કંઈ જ નહીં જણાવ્યું હોય? કારણ કે, સાંજ સુધીમાં તો આ અંગેનું વેબપોર્ટલ પણ તૈયાર થઈ જવાનું છે અને 15 દિવસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓ અને ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયો તમામને પોત પોતાને ઘરે પહોંચાડવાના છે.
હસમુખ પટેલને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં લોકોને લાવવાની અને ત્યાં મોકલવાની જવાબદારી સોંપવામાં આવી છે.
શું કહ્યુ હસમુખ પટેલે?
લોકોના ફોનથી મને ખબર પડી કે ગુજરાત અને મહારાષ્ટ્માં ફસાયેલા લોકો ને પરત મોકલવા મને નોડલ ઓફિસર નિમેલ છે. આ કેવી રીતે કરવું તે હું જાણતો નથી. મારી વિનંતીથી રાજ્ય સરકારે બાર વાગ્યે મિટિંગ રાખી છે. તેમાં જાણી તમને મદદ કરી શકીશ. હું જાણી લાઉ પછી મારાથી થતી બધી મદદ કરીશ.
લોકોના ફોનથી મને ખબર પડી કે ગુજરાત અને મહારાષ્ટ્માં ફસાયેલા લોકો ને પરત મોકલવા મને નોડલ ઓફિસર નિમેલ છે. આ કેવી રીતે કરવું તે હું જાણતો નથી. મારી વિનંતીથી રાજ્ય સરકારે બાર વાગ્યે મિટિંગ રાખી છે. તેમાં જાણી તમને મદદ કરી શકીશ. હું જાણી લાઉ પછી મારાથી થતી બધી મદદ કરીશ.
મને દુઃખ છે કે હું તમારા ફોન નો જવાબ આપી શકતો નથી. તમે સહેલાઇથી પોતપોતાના ઠેકાણે પહોંચી શકો તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. ટૂંક સમયમાં વ્યવસ્થા ઊભી કરી તમને જાણ કરવામાં આવશે. આ મેસેજ વધુમાં વધુ લોકોને પહોંચાડશો. ખાત્રી રાખજો કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છીએ.
કોને સોંપાઈ કયા રાજ્યની જવાબદારી?
ઓરિસ્સા સાથે સંકલન માટે એમ થેન્નારસન IPSનિરજા ગોત્રુને જવાબગારી સોંપાઈ
બિહાર ઝારખંડ IAS અનુપમ આનંદ IPS કે કે ઓઝાની નીમણૂંક