જરૂરિયાત શોધની જનની છે. ત્યારે અમરેલી અને અમદાવાદમાં કોરોનાવાયરસથી બચવા માટે અનોખો પ્રયાસો શોધી કાઢ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 106 જેટલા કેસ થઈ ચુક્યા છે જ્યારે 10 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે.
અમરેલી નગરપાલિકા દ્વારા બનાવાઇ સેનેટાઈઝીંગ ટનલ
કોરોનાના ડર વચ્ચે ફરજ બજાવતા લોકો માટે ખાસ ટનલ
માત્ર 5 સેકન્ડમાં જ કોઈપણ વ્યક્તિ સંપૂર્ણપણે થશે સેનેટાઈઝ
અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારીને લઇ ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા માટે નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરાઇ છે. નગરપાલિકા દ્વારા સેનેટાઈઝીંગ ટનલ બનાવવામાં આવી છે.
અમરેલીના જ કારીગરોએ દ્વારા માત્ર બે દિવસમાં ટનલ ઉભી કરી દીધી છે. કર્મચારીઓને સેનેટાઈઝીંગ ટનલનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ટનલમાં માત્ર 5 સેકન્ડમાં જ કોઈપણ વ્યક્તિ સંપૂર્ણપણે સેનેટાઈઝ થશે. આ ટનલમાં દર 20 મિનિટે 1 લીટર કેમિકલનો વપરાશ થઇ રહ્યો છે.
અમદાવાદમાં પણ એક સેેનેટાઈઝીઝર મશીન બનાવવામાં આવ્યું છે. ઓફિસો અને બિલ્ડિંગોમાં ઓટોમેટેકિ સેનેટાઈઝીંગ માટે આ મશીન ખુબ સરસ છે.