ગુજરાતમાં કોરોના વિસ્ફોટને કારણે ઘણી વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે સરકારની ટેસ્ટ ઘટાડવાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં બંને પક્ષ દ્વારા ધારદાર દલિલો કરવામાં આવી હતી. એડવોકેટ જનરલે એવી ટીપ્પણી કરી હતી કે જો અમદાવાદમાં દરેકના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે તો 70 ટકા લોકો કોરોના પોઝિટિવ નીકળશે જેથી શહેરીજનો ડરી જશે. એટલે ઓછા ટેસ્ટ થાય તે જ બરાબર છે.
‘જો તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો 70 ટકાનો રિપોર્ટ પોઝિટિવ આવે
નવી સરકારી ગાઈડલાઈન મુજબ દર્દીને ટેસ્ટ કર્યા વગર જ રજા અપાય છે
દર્દીના પરિવારજનોના પણ રિપોર્ટ કરવા જોઈએ
કોવિડ-19ના એસિમ્પ્ટમેટિક એટલે કે લક્ષણો ના દેખાતા દર્દીઓને ટેસ્ટ કર્યા વિના જલદી ડિસ્ચાર્જ આપવા અને ઘટેલા ટેસ્ટિંગ બાબતે જાહેરહીતની અરજીની શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જે મામલે બંને પક્ષ તરફથી આક્રમક દલીલો થઈ.
જો તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો 70 ટકાનો રિપોર્ટ પોઝિટિવ આવે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થયેલા સમાચાર મુજબ અરજદારના વકિલ અનિષ દેસાઈ છે જ્યારે સામે પક્ષે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી જવાબ આપી રહ્યા હતા. અરજદારે ગુજરાતમાં કોરોનાના દર્દીઓના ઓછા રિપોર્ટને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં એડવોકેટ જનરલે કહ્યું, ‘જો તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો 70 ટકાનો રિપોર્ટ પોઝિટિવ આવે. આ સ્થિતિ નાગરિકોમાં માનસિક ભય પેદા કરી શકે છે.’ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સિનિયર એડવોકેટ અનિષ દેસાઈ વચ્ચે હાઈકોર્ટમાં દલીલો થઈ હતી.
શું થઈ દલિલો?
અરજદારે નવી ડિસ્ચાર્જ પોલીસી અને ગુજરાતમાં ઘટેલી ટેસ્ટની સંખ્યા સામે વાંધો ઉઠાવ્યો છે. જે મામલે વકિલ દેસાઈએ વધુ ટેસ્ટ અને પોઝિટિવ આવેલા દર્દીઓના પરિવારનો પણ ટેસ્ટ કરવા પર ભાર આપ્યો હતો. જ્યારે એડવોકેટ ત્રિવેદીએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, જો વધુ ટેસ્ટ કરવામાં આવશે તો અમદાવાદમાં 70 ટકા લોકો પોઝિટિવ નીકળશે. જેના કારણે નાગરિકોમાં માનસિક ભય પેદા થશે. આ દલીલ સામે એડવોકેટ દેસાઈએ પ્રશ્ન કરતાં પૂછ્યું, સરકારને આ બાબતથી શા માટે ફરક પડવો જોઈએ. તેમણે આગળ દલીલ કરતાં કહ્યું, “સરકારે વધુ સારી તૈયારી સાથે આ સ્થિતિનો સામનો કરવો જોઈએ. આપણે હોસ્પિટલોમાં જગ્યા મેળવવા માટે લડી રહ્યા છીએ.
મહારાષ્ટ્રમાં 80 ટકા ખાનગી હોસ્પિટલો સરકાર હસ્તક
મહારાષ્ટ્રે 80 ટકા ખાનગી હોસ્પિટલોના બેડ હસ્તગત કર્યા છે.” અનિષ દેસાઈ એવી ખાનગી હોસ્પિટલોના ઉદાહરણ ટાંક્યા જેમણે આ એપેડેમિકને લગતા સરકારે બનાવેલા નિયમો પાળવાનો ઇનકાર કરી દીધો. સાથે જ ભારપૂર્વક કહ્યું કે, ખાનગી હોસ્પિટલોને હસ્તગત કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવનારી ખરાબ સ્થિતિ સામે લડી શકાય.