મેટ્રો શહેરમાંથી દર્દીને અન્ય જિલ્લામાં રિફર કરવામાં આવશે નહીં. રાજ્ય આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે મેટ્રો શહેરમાંથી કોઇ દર્દી અન્ય જિલ્લામાં રિફર થશે નહીં. જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં.
મેટ્રો શહેરમાંથી કોઇ દર્દી અન્ય જિલ્લામાં રિફર થશે નહીં
જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પુરતા બેડ ઉપલબ્ધ
ડેથ રેટ મામલે મૌન કેમ?
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યુ હતુ કે, અમદાવાદ-અન્ય શહેરોમાં પુરતા બેડ ઉપલબ્ધ છે. સરકાર-તંત્ર દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. ધમણ-રાજ્યમાં ડેથ રેટ મુદ્દે આરોગ્ય કમિશનરે મૌન સેવ્યું છે.
કયા મામલે કર્યો ખુલાસો
ગઈકાલે એવી વાત ચર્ચાઈ હતી કે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર મોટા પગલા લઈ શકે છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે હાલ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે એમાંય અમદાવાદની સ્થિતિ નાજૂક છે. ત્યારે સરકાર આસપાસના જિલ્લાની મદદ લેવાનું વિચારી રહી છે. અમદાવાદના દર્દીઓને આસપાસ રીફર કરવામાં આવશે. ગાંધીનગર-મહેસાણા-બોટાદ જિલ્લામાં દર્દીને રીફર કરવા વિચારણાં કરાઈ રહી છે. મેડિકલ સુવિધાના અભાવે સરકાર આગામી દિવાસમાં નિર્ણય લઈ શકે છે. અન્ય જિલ્લાની હોસ્પિટલ અને મેડિકલ સુવિધાનો લાભ પણ લેવાઈ શકે છે. સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડી શકે છે.