ગુજરાતમાં કોરનાના વધી રહેલા આંકડાને કંટ્રોલમાં કરવા ગુજરાત સરકારે ટેસ્ટિંગ લિમિટમાં કરી દેતા અને આ અંગેની નવી ગાઈડલાઈન બહાર પાડતા આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ટેસ્ટ ઘટાડવા મામલે સવાલો કર્યા હતા અને દરેકનો ટેસ્ટ કરો તેવો આદેશ કર્યો હતો.
કોરોના મુદ્દે ગુજરાત HC એ સુઓમોટો જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારને કર્યો આદેશ
દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેનીની મંજૂરી આપો : HC
વધુ ટેસ્ટ કરશે તો લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાશે : રાજ્ય સરકારની રજૂઆત
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારને મહત્વનો આદેશ કર્યો છે. દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેનીની મંજૂરી આપવી જોઈએ તેવું હાઈકોર્ટ દ્વારા રાજ્યસરકારને ટકોર કરી છે ત્યારે રાજ્યસરકારે જવાબ આપ્યો હતો કે, વધુ ટેસ્ટ કરશે તો લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાશે. પણ તેના જવાબમાં હાઈકોર્ટે આદેશ આપ્યા હતા કે ટેસ્ટ તો કરવા જ જોઈએ.
લોકોમાં ટેસ્ટ કરવાથી આવનારા પોઝિટિવ આંકડાથી લોકો ડરી જશે આ પ્રકારની આશંકાથી ટેસ્ટિંગ રોકવું હિતાવહ નથી. કોરોના પોઝિટિવ દર્દીઓના્ પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો. ખાનગીલેબમાં આંતર માળખાકીય સુવિધાઓના આધારે RT-PCR ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો. હાઈકોર્ટે સવાલ કર્યો કે દર્દીઓના ટેસ્ટિંગ માટે સમગ્ર રાજ્યમાં લેબની સંખ્યા પૂરતી છે?. રાજ્યમાં કુલ 19 સરકારી અને 12 ખાનગી લેબોરેટરી છે. તો ICMRની માર્ગદર્શિકા મુજબ જે લેબોરેટરીમાં સુવિધા છે તેમને મંજૂરી કેમ નથી અપાઈ?
કોર્ટે કહ્યું કે, આ ખુબ જ દુખદ વાત છે કે, આજની સ્થિતિમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખુબ દયનીય છે. હોસ્પિટલ દર્દીઓના ઇલાજ માટે હોય છે પરંતુ એવું લાગે છે કે, આજની તારીખમાં તે કાળ કોઠી છે, કદાચ તેના કરતા પણ બત્તર છે. શું મુખ્યસચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને આરોગ્યમંત્રી નીતિન પટેલને ખબર પણ છે કે, રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓની શું હાલત છે?
સરકારનો તર્કઃ વધારે ટેસ્ટ થવાથી 70 ટકા વસતી કોરોનાની ચપેટમાં આવશે
કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, સરકાર કૃત્રિમ રીતે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માગે છે. સરકાર જાણી જોઈને કોરોનાના ઓછા કેસ દેખાડવા માટે પુરતા ટેસ્ટ નથી કરતી. જેથી વધુ કેસ સામે ન આવે. સરકારનો એ તર્ક છે કે, વધારે ટેસ્ટ થવાથી 70 ટકા વસતી કોરોનાની ચપેટમાં આવશે અને જેનાથી લોકોમાં ભય ફેલાશે. આ તર્કના આધારે કોરોનાનું ટેસ્ટિંગ ઓછું ન કરી શકાય.
દર્દીઓના વધી રહેલા મૃત્યુનું કારણ વેન્ટિલેટરની કમી ગણાવતા હાઇકોર્ટે કહ્યું કે, શું રાજ્ય સરકારને કડવા સત્યની જાણકારી છે કે, પુરતા પ્રમાણમાં વેન્ટિલેટર ન હોવાને કારણે મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યું થઈ રહ્યા છે. સરકાર તાત્કાલિક આદેશ કરે કે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ખાનગી તથા કોર્પોરેટ હોસ્પિટલમાં અડધા બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવે.