વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ગુજરાતને પણ ભરડામાં લીધુ છે. 19મી માર્ચથી ગુજરાતમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો જેને પગલે હાલ કોરોનાની વધવાની ગતિ ઘણી ફાસ્ટ છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આવનારા દિવસો કસોટીના છે.
ગુજરાતમાં કુલ 87 પોઝિટિવ કેસ
7ના મોત
7 રિકવર
71 દર્દી સ્ટેબલ છે. 2 લોકો વેન્ટીલેટર ઉપર છે. આવનારા ચારપાંચ દિવસ ખુબ અઘરા છે અને કસોટીના છે. જે લોકો મુસાફરી કરી ને આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય. જે પોઝિટિવ વ્યક્તિ છે તેમના સંપર્કમાં આવ્યા હોય. તેવા લોકો મેડિકલ ચેકઅપ કરાવી લે. 104 અથવા તો 108 કરીને તુંરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવે .
ગુજરાતમાં કુલ 7ના મોત
અમદાવાદમાં 3ના મોત
ભાવનગરમાં 2નાં મોત
સુરતમાં 1 મોત
વડોદરામાં 1 મોત
વડોદરામાં વહેલી સવારે મોત
વડોદરામાં વહેલી સવારે એક કોરોનાના દર્દીનું મોત થયુ હતુ. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
લોકલટ્રાન્સમિશનના કેસ વધુ
87માંથી 46 કેસ લોકન ટ્રાન્સમિશનના છે જ્યારે અત્યારસુધી નોંધાયેલા 7 મોતમાંથી 3 મોત લોકલ ટ્રાન્સમિશનમાં છે જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલ 2 દર્દી વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા જ્યારે 2 દર્દીઓ બીજા રાજ્યોમાં ફરીને આ ચેપ લઈને ગુજરાત આવ્યા હતા.
કેટલા લોકો ક્યાં ક્વોરોન્ટાઈન
ગુજરાતમાં 17,666 લોકો હોમ ક્વોરોન્ટાઈન, 904 લોકો સરાકારી ક્વોરોન્ટાઈન, 282 પ્રાઈવેટ ફેસિલીટિમાં ક્વોરોન્ટાઈન કરાયા છે. 418 લોકો સામે એઆઈઆ નોંધાઈ છે.
9 કેસ પેન્ડિંગ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 1789 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1693 કેસ નેગેટિવ આવ્યા છે જ્યારે 9 કેસ પેન્ડિંગ છે. 87 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.