ગુજરાતમાં આરોગ્યમત્રી કુમાર કાનાણીના પૌત્ર ખુદ કોરનાની ઝપેટમાં આવી ગયા છે. મંત્રી ગાંધીનગર હોવાથી હાલ ચેપ લાગવાની શક્યતા ઓછી છે. પણ કોરોનાએ કાળો કેર કર્યો છે અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વિસ્ફોટ સામે આવી રહ્યો છે.
2 દિવસ અગાઉ કુમાર કાનાણીના પુત્રવધુને થઈ હતી કોરોનાની પુષ્ટી
આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પૌત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્યમંત્રીના 10 વર્ષીય પૌત્રનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ તેમની પુત્રવધુનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ પણ કોરોનાગ્રસ્ત થયા છે. કુમાર કાનાણીના દીકરાને શંકાસ્પદ લક્ષણ દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. મંત્રી કુમાર કાનાણીના દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં તેમની પુત્રવધૂની નવી સિવિલમાં સારવાર ચાલી રહી છે.
મહત્વનું છે કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણી છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં છે. જેથી તેઓ પરિવારના સંપર્કમાં આવ્યા નથી.
ગુજરાતમાં હવે અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 563 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 314 કેસ અને સુરતમાં 132 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં વડોદરામાં 44, જામનગરમાં 10 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર, જૂનાગઢ અને નર્મદામાં 7-7 કેસ સામે આવ્યા છે.. આ ઉપરાંત આણંદમાં 6, ભરૂચમાં 5, મહેસાણામાં 4, ભાવનગર, પાટણ અને ખેડામાં 3-3 તો મહીસાગર સાબરકાંઠા બોટાદ અને ગીર-સોમનાથમાં 2-2 કેસ નોંધાયા છે.
આમ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 2 7880 પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં કુલ 1 હજાર 685 લોકોનાં મોત થયા છે.. અત્યાર સુધીમાં કુલ 19,917 દર્દીઓ સાજા થયા છે.હાલ રાજ્યમાં કુલ 6, 278 એક્ટિવ કેસ છે. જેમાંથી 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે.