ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1190 કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ આંકડો 91,329 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરનાના વધુ 1190 કેસ નોંધાયા
રાજ્યમાં 1193 દર્દી સાજા થયા
રાજ્યમાં 17 દર્દીના કોરોનાથી મોત થયા
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1190 કેસ સામે આવ્યા છે.
કુલ 73, 501 દર્દીઓએ કોરોનાને મહાત આપી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટની આંકડાકિય માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1190 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 91 ,329 થઈ ગયો છે. કુલ 73, 501 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.
રાજ્યમાં રિકવરી રેટ 80.48 ટકા થયો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં 20,45,951 ટેસ્ટ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કુલ 76,227 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 73501 દર્દી સાજા થઈને ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 80.48 ટકા થયો છે.