ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એવામાં 30 જૂન સુધી GPSCની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અગાઉ માર્ચ અને મે મહિનામાં પરીક્ષાઓ રદ્દ કરાઈ છે. ગુજરાત સહિત ભારતમાં અત્યાર સુધીમાં 4 લોકડાઉન જાહેર થઈ ચુક્યા છે.
GPSC દ્વારા 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ
1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ
અગાઉ માર્ચ અને મે મહિનાની પરીક્ષાઓ પણ GPSCએ કરી છે રદ
GPSC દ્વારા એકથી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અગાઉ માર્ચ અને મે મહિનાની પરીક્ષાઓ પણ GPSCએ રદ કરી છે. ત્યારે હવે જૂનની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. માર્ચ, મે અને જૂનની રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂનના રોજ વેબસાઈટ પર જાહેર કરાશે. ઉમેદવારોને વેબસાઈટ જોતા રહેવાની GPSCએ વિનંતી કરી છે
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસની સંખ્યા વધીને 15,572 થઇ ગઈ છે. સારવાર બાદ 8003 લોકો સાજા થયા છે. રાજ્યમાં 6599 એક્ટિવ કેસ છે. કોરોનાથી રાજ્યમાં કુલ 960 લોકોના મૃત્યુ થયા છે.