કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. રાશન વિતરણને લઈને સચિવ અશ્વિનીકુમારે નિવેદન આપ્યું છે કે, 10,182 કરોડના ખર્ચે ગુજરાતના ગરીબોને અનાજ અપાયું છે. કિસાન યોજના હેઠળ ખેડૂતોને પ્રથમ હપ્તો ચૂકવાયો. સોમવારથી APL-1 કાર્ડધારકોને અનાજ અપાશે. જેથી રાજ્યના 60 લાખ પરિવારોને લાભ મળશે. ત્યાર બાદ તેમણે ખેડૂતોની જાહેરાતને લઈને કહ્યું કે, PM કિસાન યોજના હેઠળ ગુજરાતના 47. 81 લાખ ખેડૂતોને હપ્તો મળશે.
ખેડૂતોની જાહેરાતને લઈને અશ્વિની કુમારનું નિવેદન
કોરોનાના કહેરને લઈને મહિલાઓને અપાશે રૂપિયા
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારની રાશન વિતરણ જાહેરાત
મહિલાઓને આપવામાં આવતા રૂપિયાને લઈને અશ્વિનીકુમારનું નિવેદન
જનધન યોજના હેઠળ મહિલાઓને 3 મહિના માટે રૂ.500 મળશે. ગુજરાતની 74 લાખ મહિલાઓને લાભ મળશે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ફ્રીમાં સિલિન્ડર આપવામાં આવશે. રાજ્યની 28 લાખ મહિલાઓને ફ્રીમાં સિલિન્ડર મળશે. ભારત સરકારની યોજના હેઠળ ગુજરાતને 3915 કરોડનો લાભ મળશે.
ખેડૂતોની જાહેરાતને લઈને અશ્વિની કુમારનું નિવેદન
PM કિસાન યોજના હેઠળ ગુજરાતના 47.81 લાખ ખેડૂતોને હપ્તો મળશે. ગુજરાતના ખેડૂતોને 956 કરોડનો લાભ મળ્યો. ગુજરાત સરકારે પણ ભારત સરકાર સમકક્ષ જાહેરાત કરી છે. ખેડૂતોની પાક ધિરાણની મુદત પણ વધારાઈ છે. પાક ધિરાણની મુદત 2 મહિના સુધી વધારાઈ છે. 31 મેં સુધી ખેડૂતો પાક ધિરાણ ભરી શકે છે. પાક ધિરાણની મુદત વધારાતા રાજ્ય સરકારને 250 કરોડનું ભારણ છે.
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારની રાશન વિતરણ જાહેરાત
રાશન વિતરણને લઈને CM રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, 10 હજાર 182 કરોડના ખર્ચે ગુજરાતના ગરીબોને અનાજ અપાયું. કિસાન યોજના હેઠળ ખેડૂતોને પ્રથમ હપ્તો ચૂકવાયો. સોમવારથી APL-1 કાર્ડધારકોને અનાજ અપાશે. રાજ્યના 60 લાખ પરિવારોને મળશે લાભ. APL-1 કાર્ડ ધારકોને પણ મફત અનાજ આપવા નિર્ણય કર્યો. રેશનકાર્ડ વિનાના પરપ્રાંતિય શ્રમિકોને પણ રાશન અપાશે.