ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુને વધુ ગંભીર થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત સરકારને સંકજા લેવામાં નવા નવા પેંતરા કરી રહ્યુ છે. હાર્દિક પટેલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યા છે જ્યારે શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાના ટેસ્ટને લઈને સરકાર પર પસ્તાળ પાડી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે ગુજરાત ભગવાન ભરોસે છે.
કોરોનાને લઈને મહારાષ્ટ્રમાં ભાજપે રાષ્ટ્રપતિ શાસનની કરી છે માંગ
ગુજરાતમાં પણ કોરોનાને કાબૂ કરવા સરકાર નિષ્ફળ : હાર્દિક પટેલ
ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ શાસન લગાવામાં આવેઃ હાર્દિક પટેલ
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રૂપાણી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. શક્તિસિંહે કહ્યું કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ ઓછા કરવામાં આવી રહ્યા છે. એટલે કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં 10 લાખ લોકોની વસ્તીએ 2 હજાર ટેસ્ટ કરવામાં આવે છે જ્યારે તેની સરખામણીમાં મુંબઈમાં 10 લાખથી વસ્તીએ 143 હજાર લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. વધુ ટેસ્ટ કરવામાં આવતા હોવાથી મુંબઈમાં કોરોનાના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ શક્તિસિંહે કહ્યું કે કોરોના મામલે નક્કર પગલા ન લેવાતા હોવાના કારણે જનતા ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે.
હાર્દિક પટેલે પણ કહ્યુ સરકર નિષ્ફળ
કોરોનાને લઇ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવાની માગ કરાઇ છે. કોરોનાને લઇ મહારાષ્ટ્રમાં ભાજપે રાષ્ટ્રપતિ શાસનની માગ કરી છે. ત્યારે સામે કોંગ્રેસે પણ ગુજરાતમાં ખરાબ સ્થિતિને લઇ રાષ્ટ્રપતિ શાસનની માગ કરી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં પણ કોરોનાને કાબુ કરવા સરકાર નિષ્ફળ છે. ત્યારે જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવામાં આવે તો ગુજરાતમં પણ રાષ્ટ્રપતિ શાસન લગાવામાં આવવું જોઇએ.