રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને જોઈને આ વર્ષે રાજ્યસરકાર દ્વારા કોઈ એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં નથી આવી. સામાન્ય રીતે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે રક્ષાબંધન અને બીજા તહેવાનો અને મેળાઓને નિમિત્તે એક્સ્ટ્રા બસ મુકવામાં આવે પરંતુ હાલ મહામારીને પગલે આ સેવા મોકૂફ રખાઈ છે. રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
આ વર્ષે રક્ષાબંધન પહેલા નહીં દોડે એક્સ્ટ્રા ST બસ
કોરોનાને કારણે ST નિગમનો નિર્ણય
સુરતમાં કોરોનાને ધ્યાને લઇ બસ સેવા કરાઇ સ્થગિત
આ વર્ષે રક્ષાબંધન પહેલા એક્સ્ટ્રા ST બસ દોડશે નહીં. કોરોનાને કારણે ST નિગમે નિર્ણય કર્યો છે. સુરતમાં કોરોનાને ધ્યાને લઇ બસ સેવા સ્થગિત કરાઇ છે. આગામી 10 દિવસ સુરતમાં જતી-ઉપડતી બસો સ્થગિત કરવામાં આવી છે. રક્ષાબંધનમાં સુરત જતા લોકોને મુશ્કેલી પડશે. દરવર્ષે તહેવારોમાં ST બસોનું એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં નવા 1081 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. તો એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મૃત્યુ થયા. જ્યારે કોરોનાને મ્હાત આપીને આજે 782 દર્દીઓ સાજા થયા. નવા 1081 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 54 હજાર 712 થઇ છે. રાજ્યમાં હાલ 12 હજાર 795 એક્ટિવ કેસ છે. જેમાંથી 87 દર્દી વૅન્ટિલેટર પર છે અને 12 હજાર 708 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 39 હજાર 612 લોકો સાજા થયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 2 હજાર 305 લોકોના મૃત્યુ થયા છે.
સુરતમાં કોરોનાનો હાહાકાર
સુરતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં હજુ પણ કોરોના દર્દીઓની હાલત ગંભીર છે. 880માંથી 702 દર્દીઓ ગંભીર હાલતમાં છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે. સિવિલ હોસ્પિટલમાં 542 દર્દીઓની હાલત ગંભીર છે. 22 દર્દીઓ વેન્ટિલેટર પર અને 45 દર્દીઓ બાઇપેપ પર છે. તો 475 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 160 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 દર્દીઓ વેન્ટિલેટર પર, 12 દર્દીઓ બાઇપેપ પર અને 136 જેટલા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
આવતી કાલથી સુરમાં આવતી અને ઉપડતી ST બંધ
આવતીકાલથી સુરતથી ઉપડતી-જતી બસો પર રોક લગાવવામાં આવી છે. સુરતથી ઉપડતી-જતી ST ખાનગી બસો 10 દિવસ બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધતા કેસોને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતથી ઉપડતી-જતી બસોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. 27 જુલાઇથી સુરતની બસ સર્વિસ 10 દિવસ સ્થગિત છે. અન્ય ખાનગી વાહનો, ટ્રક, પરિવહન ચાલુ રહેશે.