સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. ગોંડલનો રાજવી પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં
ગોંડલના મહારાજા અને મહારાણી કોરોના પોઝિટિવ
મહારાજા-મહારાણીને હોમ આઈસોલેટ કરાયા
હઝુર પેલેસના નિવાસ સ્થાને મહારાજા અને મહારાણીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.
હઝુર પેલેસને સેનેટાઈઝ કરવામાં આવ્યો
ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રિયસિંહ જાડેજા અને મહારાણી કુમોઢબા જાડેજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાણ કરાઈ છે. આ વિશે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની તબિયત હાલ સારી છે. ગોંડલ નગર પાલિકા દ્વારા હઝુર પેલેસને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે.
ગોંડલમાં કેટલા કેસ
ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં પુનિતનગરમાં તુલસી ટાવરમાં 1, માધવવાડીમાં 1, કે.વી. રોડ પરની અંબિકાનગરમાં 1 અને તક્ષશિલા સોસાયટીમાં એક કેસ નોંધાયો છે.