ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને કારણે જાહેરમાં ગણેશસ્થાપન નહીં કરી શકાય પરંતુ રાજનેતાઓ ઉજવણીઓ કરી શકે છે. જુઓ તસવીરો
આવતીકાલથી ગણેશ ઉત્સવ શરૂ થશે
અમદાવાદ ઝોન-1 DCP રવિન્દ્ર પટેલનુ નિવેદન
"જાહેરમાં ગણેશજી સ્થાપન નહિ થાય"
આવતીકાલથી ગણેશ ઉત્સવ શરૂ થશે. આ અંગે અમદાવાદ ઝોન-1 DCP રવિન્દ્ર પટેલે નિવેદન કર્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે જાહેરમાં ગણેશજીનું સ્થાપન નહિં કરી શકાય. જાહેર જગ્યા પર વિસર્જન નહી કરી શકાય. જાહેરમાં વિસર્જન ન થયા તે માટે પોલીસ તૈનાત કરવામાં આવશે.
ભાજપના મેળાવડાંઓ માટે મંજૂરી પણ ગણપતિ પંડાલ માટે નહીં
અમદાવાદમાં આ નિર્ણયને પગલે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે, જો રાજકિય પાર્ટીમાં કોઈ ઉત્સવ ઉજવવામાં આવે તો તેને પરમિશન મળે છે. પાયા ખોધવાનાને ભૂમિપૂજનના પરવાના મળે છે પણ ગણેશોત્સવને ગાઈડલાઈન સાથે જાહેરમાં ઉજવવાની પરવાનગી નથી. છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil રેલીઓ અને કાર્યક્રમો યોજે છે પણ ગણેશોત્સવ નહીં ઉજવાય.
ખોડલધામ મંદિરનાં દર્શન કર્યા. સમસ્ત જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા પરિવાર, સુરત દ્વારા ખોડલ ધામ ખાતે મળેલા અઢળક સ્નેહ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપ સૌનો સ્નેહ અને વિશ્વાસ ખૂબ મૂલ્યવાન છે. pic.twitter.com/ugb987idWe