CMO સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી વતન જવા માંગતા પરપ્રાંતિયો માટે અને અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે સરકારે અલગ અલગ હેલ્પલાઈન નંબર જાહેર કરી દીધા છે.
આજથી ટ્રેન કરાઈ રવાના
ફસાયેલા ગુજરાતીઓ માટે આ રહ્યો હેલ્પલાઈન નંબર
ગુજરાતમાં લોકડાઉન અને ઝોનમાં છૂટછાટ માટે સાંજે નિર્ણય જાહેર કરશે CM
ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, ગુજરાતના જે લોકો અન્ય રાજ્યમાં ફસાયા છે તેને પરત લાવવા માટેની કામગીરી હાથ ધરી છે. 2 અઠવાડિયાથી ગુજરાત સરકાર તરફથી પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સરકારે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. આ હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને નોંધણી કરાવવાથી તેમને ગુજરાત પરત આવવા માટે વ્યવસ્થા કરાવવામાં આવશે. 3000 ગુજરાતીઓને પર લાવવામાં આવ્યા છે. 07923251900 તેમની વિગતો સ્ટેટ કંટ્રોલ ઉપર નોંધાવી શકે છે.
ગુજરાતમાં ફસાયેલા લોકો માટે આ રહી મદદ
સુરત અને અમદાવાદ શહેરમાં ગુજરાત બહારના પરપ્રાંતિય લોકો ગુજરાત આવીને નોકરી ધંધા કરે છે. આવા લોકોને તેમના રાજ્યોમાં જવા માંગતા હોય તેવા લોકો માટે ગુજરાત સરકારે 16 અધિકારીઓની નિમણુંક કરી છે. પોતે પોતાના ખર્ચ પરત જવા માંગતા હોય. તેમને જવા દેવામાં આવશે. ટ્રેન અને બસની ટીકીટ કરીને જઈ શકશે. 1077 નંબર પર કોલ કરીને મદદ માંગી શકશે.
આજથી ટ્રેન કરાઈ રવાના
સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જશે. બે ટ્રેન અમદાવાદથી ઉત્તરપ્રદેશ જશે. નોંધાયેલા લોકો જ પરત જઈ શકશે. ટિકિટ ખરીદવી પડશે. મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઓરિસ્સાના મજૂરોને રવાના કરવામાં આવ્યા છે. જે તે પ્રાંતમાં મોકલવાની પ્રક્રિયા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. તબક્કાવાર જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં લોકડાઉન અને ઝોનમાં છૂટછાટ માટે સાંજે નિર્ણય જાહેર કરશે CM
કેન્દ્ર સરકારે રેડ, ગ્રીન અને ઓરેન્જ જિલ્લામાં રાજ્યના જિલ્લા જાહેર કર્યા છે. આ જિલ્લામાં શું ચાલુ રાખવું શું બંધ તે અંગે આજે સાંજે સીએમ મંત્રીઓ સાથે ચર્ચા કરીને રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં કેવી શરતો સાથે છૂટછાટ આપવી તે આજ સાંજે જાહેર કરવામાં આવશે.