આજે જ એક સાથે 55 કેસ અને એકલા અમદાવાદમાં 50 કેસ નોંધાતા તંત્ર સહિત તમામને કોરોનાની રફ્તારનો અંદાજો આવી ગયો છે. આવામાં પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં અનાજનો જથ્થો પૂરતો છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ગુજરાતને દોઢ વર્ષ ચાલી રહે એટલો જથ્થો છે. આવામાં બીજી બાજુ સવાલો એ પણ થઈ રહ્યાં છે કે જે રીતે સરકાર અનાજનો સ્ટૉક કરી રહી છે તો શું કોરોના સાથેની ગુજરાતની લડાઈ લાંબી ચાલવાની છે?
લોકડાઉન વચ્ચે રાજ્યમાં પૂરતો અનાજનો જથ્થો
અનાજ પુરવઠાને લઇ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી
દરરોજ 12 હજાર ટન ઘઉ-ચોખા કેન્દ્ર ગુજરાતને આપે છે
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનો કહેર વર્તાવાનું શરૂ થઈ ગયુ છે. આજે ગુજરાતમાં એક સાથે 55 કોરોના પોઝિટવ કેસ સામે આવ્યા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 50 કેસ સામે આવતા કોરોનાની રફ્તારને સમજી શકાય છે. ત્યારે ગુજરાત સરકારે અનાજના જથ્થા વિશે હૈયાધારણ આપી છે.
લોકડાઉન વચ્ચે રાજ્યમાં પૂરતો અનાજનો જથ્થો
અનાજ પુરવઠાને લઇ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. દરરોજ 12 હજાર ટન ઘઉ-ચોખા કેન્દ્ર ગુજરાતને આપે છે. અન્ય રાજ્યોમાથી પ્રતી દિવસ 12 હજાર ટનની ખરીદી કરાય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 3.82 કરોડ લાભાર્થીઓને અનાજ મળશે. 3 મહિના સુધી લાભાર્થીઓને અનાજ આપવામા આવશે. ગુજરાતમા દોઢ વર્ષ સુધી અનાજ મળી રહે તેવી FCI ની તૈયારી છે.
રાજ્યમાં ફૂડ કોર્પોરેશનના 33 ગોડાઉનમાં જથ્થો ઉપલબ્ધ
રાજ્યના 33 ગોડાઉનમાં 6.50 લાખ ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. દરરોજ માલગાડી મારફતે અનાજનો જથ્થો અમદાવાદ આવી રહ્યો છે