ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત નોંધાયુ છે. ચાર દિવસ પહેલા સુરતમાં નોંધાયેલ પોઝિટિવ કેસમાં વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા જેમનું આજે મોત થતા તંત્ર દોડતું થઈ ગયુ છે.
ગુજરાતમાં સુરતમાં કોરોનાથી મોત
67 વર્ષના વૃદ્ધનું મોત
સુરતમાં 3 કેસમાંથી એકનું મોત થયું છે.
ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સામે આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં 67 વર્ષનાં વૃદ્ધનું કોરોનામાં મોત થયુ છે. અઠવાલાઇન્સનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી . વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે મૃત્યુ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વડોદરામાં પણ કોરોનાગ્રસ્ત શંકાસ્પદ વ્યક્તિનું મોત થયુ છે.
One #COVID19 positive patient, Male 69 yrs, died today in Surat hospital. He was having Co-morbid conditions.
One Female, 65 years, died in Vadodara hospital but her test report for COVID is awaited. She was also having comorbid conditions(Diabetes & Hypertension) @InfoGujarat
રાજ્યમાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કુલ 7 કેસ, સુરતમાં કુલ 3 કેસ નોંધાયા હતા જેમાંથી એકનું મોત થયું છે. વડોદરામાં 3 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, રાજકોટમાં 1 અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ છે.
જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો
અત્યારસુધી 650 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન રખાયા છે. જેમાં ગાંધીનગર 223, સુરતમાં 590 વ્યક્તિઓ હમ ક્વોરન્ટાઈન છે. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન 300 દર્દીઓ છે. રાજ્યમાં કુલ 6 હજાર 92 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે.