ગુજરાતમાં કોરોના મહામારીનો ભરડો વધુને વધુ કસાઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના 14 ઉપર કેસ નોંધાઈ ચુક્યા છે અને 888 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે અમદાવાદના પૂર્ મેયર વિજય નેહરા આજે CM રૂપાણીને મળવા પહોંચ્યા છે. આ બેઠકને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે. વિજય નેહરાના વિરોધ અને સપોર્ટ બંનેમાં સોશિયલ મીડિયા ઉપર ઘમાસાણ ચાલી રહ્યુ છે. ખુદ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા વિજય નેહરા વિરૂદ્ધ પોસ્ટ કરવામાં આવી હતી. બની શકે કોરોના સંકટ સિવાય આ મામલે પણ CM અને પૂર્વ મનપા કમિશનર વિજય નેહરા વચ્ચે વાતચીચત થઈ શકે છે.
વિજય નેહરાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર
નેહરા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા
અમદાવાદ કમિશનર બાદ ગ્રામ્ય વિકાસ કમિશનર બન્યા છે નેહરા
અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સીએમ વિજય રૂપાણીને મળવા પહોંચ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બાદ તેઓને ગ્રામ્ય વિકાસ કમિશનર બનાવામાં આવ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કેસ મુદ્દે નેહરા સીએમ રૂપાણી સાથે ચર્ચા કરશે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને નેહરા અને મુખ્યમંત્રી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કેસને લઇ ચર્ચા કરાશે. હાલમાં જ ભાજપ આઇટી સેલ દ્વારા નેહરા વિરુદ્ધ ટ્વીટને લઇ વિવોદ શરૂ થયો છે. ત્યારે વિજય નેહરા આ ટ્વીટને લઇને પણ સીએમ રૂપાણી સાથે ચર્ચા કરી શકે છે.
વિજય નેહરા અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક પૂર્ણ
મનરેગા મુદ્દે મુખ્યમંત્રી અને વિજય નેહરાની ચર્ચા
નહેરાનું લક્ષ્ય ગામડામાં રોજગારી પુરી પાડવી
ગ્રામિણ વિસ્તારમાં વધારે રોજગારી મળે તેવું સરકારનું લક્ષ્ય
દરરોજ 15 લાખ લોકોને રોજગારી પુરી પાડવાનું મિશન
હાલમાં દરરોજ 4 લાખ લોકોને મનરેગામાં મળે છે રોજગારી
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી
ગુજરાતમાં 14,460 લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે અને 888 લોકોના મોત થઈ ચુક્યા છે. અમદાવાદમાં 10,590 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં 722 લોકોના મોત થઈ ચુક્યા છે.