ડિજિટલ ઈન્ડિયાની ખાલી વાતો જ છે બાકી ડિજિટિલી ભારત કેટલુ સક્ષમ છે તેનો અંદાજો આ લોકડાઉનમાં તમામ લોકોને આવી ગયો હશે. કોરોનાને કારણે હાલ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં ઓનલાઈન સ્કુલો શરૂ થવાની છે પણ હજુ સુધી અભ્યાસક્રમાન પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યાં જ નથી ત્યારે પ્રશ્ન ઉઠે કે શું આવી રીતે ભણશે ગુજરાત?
સુરતમાં વિદ્યાર્થીઓને હોમલર્નિંગ પહેલા જ બેદરકારી આવી સામે
ધોરણ- 9થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળ્યા નથી
જુદા જુદા વિષયના 18 પુસ્તકો વિદ્યાર્થીઓને મળ્યા નથી
સુરતમાં વિદ્યાર્થીઓને હોમલર્નિંગ પહેલા જ બેદરકારી સામે આવી છે. ધોરણ- 9થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળ્યા નથી. જુદા જુદા વિષયના 18 પુસ્તકો વિદ્યાર્થીઓને મળ્યા નથી. આગામી 15 જૂથી ઓનલાઈન હોમલર્નિંગ શરૂ થવાનું છે. અંગ્રેજી માધ્યમમાં સૌથી વધારે પુસ્તકો ન આવ્યાની બૂમ ઉઠી છે. તો પાઠ્યપુસ્તકો વગર વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે.
કોરનાને કારણે શાળા કોલેજો શરૂ થવામાં અસમંજસ
ઓનલાઈન એજ્યુકતેશનની વાત સારી અને આવકારદાયક છે પણ આ માટે સરકારે બે વાર વિચારવાની જરૂર છે. કેમે કે, ખુદ સરકારી તંત્ર ઓનલાઈનની સ્પીડે કામ નથી કરી રહ્યુ સામે પક્ષે દરેક બાળકના ઘરે ઓનલાઈન એજ્યુકેશન માટે ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર કે લેપટોબ હશે કે નહીં એ પણ વિચારવું રહ્યુ.
રાજ્યમાં આજે 495 નવા પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 495 નવા કેસ નોંધાયા છે. આજે 392 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 22562 થઇ. 31 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે જેમાં એકલા અમદાવાદમાંથી જ 22 લોકોના કોરોનાથી મોત થયા છે.