ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.
કોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે
ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે
શું કહ્યુ DyCM નીતિન પટેલે?
DyCM નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રેમડેસીવીર નો જથ્થો પ્રાપ્ત થયો છે. રાજય સરકાર ની હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. ખાનગી કંપનીઓએ ડીલરોને 35 હજાર ઇન્જેક્શન ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે
રેમડેસીવીર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે.
DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે.
DyCM નીતિન પટેલે જણાવ્યુ હતુ કે
કોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે
SVP હોસ્પિટલમાં 500 બેડ વધારાયા છે.
મંજુશ્રી કેમ્પસમા કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં કોવિડ દર્દીઓને દાખલ કરાશે. 600 બેડ વધુ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. SVPની કેપિસિટી 500 બેડ માંથી 1000 બેડની કરાઈ છે. SVPને ફૂલ કોવિડ હોસ્પિટલમાં ફેરવામાં આવશે.
કુલ 2031 બેડ મનપા દ્વારા વધારાયા
SVPની કેપિસિટી 500 બેડ વધારવામાં આવ્યા
GCSમાં 160 બેડ વધારવામાં આવ્યા
SMS હોસ્પિટલમાં 240 બેડ વધારાયા
સીવીલ મેડિસિટીમા 850 બેડ વધારાયા
ખાનગી હોસ્પિટલમાં 281 બેડ વધારાયા
સમરસ કોવિડ કેર અને અન્ય જગ્યા પર 650 બેડ વધારાયા
તમામ બેડનો ખર્ચો રાજય સરકાર અને મનપા આપશે
આ સાથે જ નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, તમામ બેડનો ખર્ચો રાજય સરકાર અને મનપા આપશે. યુ.એન.મેહતામાં વધુ 130 બેડ વધરવામાં આવશે. સીવીલના નવા બિલ્ડીંગમાં વધુ 100 બેડ વધારવા સુચના આપી છે. સીવીલ મેડિસિટી કેમ્પસમાં 1332 બેડ વધુ ઉપલબ્ધ કરાયા છે. હાલ 1332 બેડમાંથી 488 બેડ ખાલી છે.
પ્રાઇવેટ ડોકટરો સાથે મનપા કામ કરી રહ્યું છે. 25 થી 30% દર્દીઓને રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂર પડે છે. વેક્સિનનો જથ્થો ગઈકાલે આવી ગયો છે. 1 રૂપિયામાં 3 લેયર માસ્ક આપવામાં આવશે. તમામ નગરપાલિકાઓને માસ્ક આપવામાં આવશે. અમૂલ પાર્લર પરથી 1 રૂપિયામાં માસ્ક મળશે. સેવાભાવી સંસ્થા માસ્ક ખરીદીને વિતરણ કરી શકે છે. 1 રૂપિયાનુ માસ્ક પહેરવાથી 1 હજારનો દંડ નહી ભરવો પડે.
શું કહે છે સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ?
સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યુ હતુ કે, સુરતની સ્થિતિ હજુ ગંભીર બની શકે છે. જે ઝડપે કેસ વધ્યા એ ચિંતાનો વિષય છે. આ વખતે હોસ્પિટલાઈઝશન વધ્યું છે. ઓક્સિજનની જરૂરિયાત વાળા કેસોની સંખ્યા વધી છે. જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની માહિતી મેળવાઈ રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન સહિતના મુદ્દા પર માહિતી એકત્ર કરાઈ રહી છે. દર્દીઓના સગાઓએ ઇન્જેક્શન લેવા જવાની જરૂર નથી. હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શનની માંગણી કરવામાં આવશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...