ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે આજે રાજ્ય સરકારે લોકડાઉન 4માં રાજયના કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી અને કન્ટેનમેન્ટ ઝોનમાંથી બીજા ઝોનમાં તેમજ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ અંગે પણ મોટી જાહેરાત કરી હતી.
એક શહેર માંથી બીજા શહેરમાં જવા માટે કોઈ પાસ નહિ લેવાના
કન્ટેનમેન્ટ એરિયાની અંદર કે બહાર કોઈ આવી જઈ નહિ શકે
પાસને લઇના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત
લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. જેમાં અન્ય જિલ્લામાં જવા માટે પાસને લઇના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પરવાનગી નહીં જોઈએ. નોન કન્ટેનમેન્ટ ઝોનમાંથી જવું હશે તો પાસની જરૂર નહીં રહે. ગુજરાતના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નહીં પડે હવે પાસ વગર એકમાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 11,746એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 6248 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 4804 લોકોએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 694 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 8686 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2841 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.