નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત અને અમદાવાદમાં વિકેન્ડ કર્ફ્યૂ અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતુ.
કોરોના મુદ્દે DYCM નીતિન પટેલનુ નિવેદન
રાજ્ય અને દેશમા 10 દિવસથી કોરોના દર્દીની સંખ્યા વધી
વિકેન્ડ કર્ફ્યૂની કોઈ સંભાવના નહીં
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની છે ત્યારે એક પછી એક ગાઈડલાઈન અનુસાર લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હોવાની સ્થિતિને લઈને રાજ્યમાં કોરોનાની સ્થિતિને કારણે વિકેન્ડ લોકડાઉન આવશે એ અંગે DyCM નીતિન પટેલે કેટલીક મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કેટલીક DyCM નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, હાલ શાળા કોલેજો બંધ છે, વળી નાઈટ કર્ફ્યૂ પણ છે એટલે હાલ વિકેન્ડ કર્ફ્યૂનું કોઈ આયોજન નથી.
રેમડેસીવીર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે.
DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે.
બેડ વધારવામાં આવ્યાં છે : નીતિન પટેલ
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાની સ્થિતિ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં બેડ વધારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવી રહ્યા છે.
SVPની કેપેસિટી 500 બેડમાંથી 1 હજાર બેડ કરી દેવામાં આવી છે. SVPને ફૂલ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવશે.. કોવિડ હોસ્પિટલના બેડમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ GCSમાં 160 બેડ વધારવામાં આવ્યા છે. જ્યારે SMS હોસ્પિટલમાં 240 બેડ વધાર્યા છે. ઉપરાંત સિવિલ મેડિસીટમાં 850 બેડ, ખાનગી હોસ્પિટલમાં 281 બેડ આમ કુલ 2031 બેડ વધારવામાં આવ્યા છે. આ તમામ બેડનો ખર્ચો રાજ્ય સરકાર અને મનપા આપશે.
નીતિન પટેલે જણાવ્યું કે સિવિલના નવા બિલ્ડિંગમાં 100 બેડ વધારવા સૂચના આપી છે. યુ.એન. મહેતામાં વધુ 130 બેડ વધારવામાં આવશે. જ્યારે સિવિલ મેડિસીટી કેમ્પસમાં 1332 બેડ વધુ ઉપલબ્ધ કરાયા છે.
રેમડેસિવીર માટે કરાઈ વ્યવસ્થા : ડે.સીએમ
રેમડેસિવીર ઈન્જેક્શન મુદ્દે નીતિન પટેલે જણાવ્યું કે 25થી 30 ટકા દર્દીને આ ઈન્જેક્શનની જરૂર પડે છે. રાજ્ય સરકારની હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પુરતો છે. કંપનીઓએ ડીલરોને 35 હજાર ઈન્જેક્શન ડિસ્ટ્રીબ્યૂટ કર્યા છે.
ગઈકાલે રાજ્યમાં 70 હજાર ઈન્જેક્શન ઉપલબ્ધ થયા છે. સાથે જ સરકાર 1 રૂપિયામાં 3 લેયર માસ્ક આપશે. તમામ નગરપાલિકાઓ માસ્ક આપશે. અમૂલ પાર્લર પર પણ 1 રૂપિયામાં માસ્ક મળશે. સાથે જ સેવાભાવી સંસ્થા પણ માસ્ક ખરીદીને વિતરણ કરી શકશે.