અમદાવાદ સિવિલની આજે એક ઘોર બેદરકારી સામે આવી છે. એક દર્દીને દાખલ કર્યો કોરોનાથી મરી ગયો એવું કહી મૃતદેહ પરિવારને સોંપ્યો. પરિવારે અંતિમવિધિ પતાવી દીધી પછી સિવિલમાંથી પરિવારજનોને ફરીથી ફોન આવે છે કે, દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તો પછી એ કોની લાશ હશે? જેની અંતિમ વિધિ થઈ ગઈ હશે? પરિવારજનોને મોં પણ બતાવવામાં નહોતું આવ્યું. આખરે આ મામલે VTV સાથે વાત કરતા DYCM નીતિન પટેલે તપાસની હૈયાધારણ આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી મામલો
સિવિલ બેદરકારી મુદ્દે DYCM નીતીન પટેલનું નિવેદન
મૃતદેહની અદલાબદલી મામલે તપાસની dycmએ આપી હૈયાધારણ
શું કહ્યુ DYCM નીતિન પટેલે?
અમે સમગ્ર મામલાની તપાસ કારવીશું. સિવિલ હોસ્પિટલ મુદ્દે હું ખાસ તપાસ કરાવીશ. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો જોખમ વચ્ચે સેવા કરે છે. આવડા મોટા કામમાં ક્ષતિ થઈ હશે તો ચોક્કસથી તપાશ કરીશુ.
વધુમાં અનલોક 1 મુદ્દે પણ DYCM નીતિન પટેલે જણાવ્યું હતુ કે, સરકારે ઉદારતાથી નિયમો હળવા બનાવ્યા છે. નાગરિકો પર વિશ્વાસ રાખી સરકારે નિયમો હળવા કર્યા છે.
આવતીકાલથી લગભગ બધુ શરૂ થઈ જશે. હોટેલ, રેસ્ટોરન્ટ પણ ચાલુ થઈ જશે. બધુ શરૂ થશે એટલે નાગરિકોએ ધ્યાન રાખવુ પડશે. નાગરિકોએ નિયમો પાળવા પડશે.
શું છે મામલો?
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. નિકોલ વિસ્તારમાં રહેતા એક ડાયાબીટીસના દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા છે. દર્દીને મૃત જાહેર કર્યા બાદ પરિવારે તેમનું અંતિમસંસ્કાર પણ કર્યુ. અંતિમ સંસ્કાર કર્યાના એક દિવસ બાદ પરિવારને સિવિલમાંથી દર્દીને ઘરે લઈ જવા માટે કહેવા માટે ફોન આવ્યો. દર્દીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું સિવિલમાંથી જણાવાયું.
રિપોર્ટ નેગેટિવ હોવાથી હોસ્પિટલમાંથી ઘરે લઈ જવા કહેવામાં આવતા અનેક સવાલ થયા. એક દિવસ પહેલા મોત થતા અંતિમસંસ્કાર પણ કરવામાં આવ્યા, તેમ છતા ફરીથી ફોન કરીને દર્દીને ઘરે લઈ જવાનું કહેવામાં આવતા અનેક સવાલ થયા છે. મળતી માહિતી મુજબ 29 મેના રોજ સિવિલમાંથી દર્દીને PPE કિટમાં મૃતદેહ સોંપાયો હતો. મૃતદેહ PPE કિટમાં હોવાથી ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. ફરીથી સિવિલમાંથી ફોન આવતા પરિવારજનોએ ખોટી અંતિમવિધિ કરી કે, સિવિલમાંથી ખોટો ફોન આવ્યો તે અંગે સવાલ થઈ રહ્યા છે.