ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે, દિવાળીની સીઝન બાદ કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે ત્યારે આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને રાજ્યના મહાનગરો કે અમદાવાદના કર્ફ્યુ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વેકએન્ડ કર્ફ્યુ અંગે રાજ્ય સરકારની કોઇ યોજના નથી.
મહાનગરોમાં વીકએન્ડ કફર્યૂને લઈને DyCMનું નિવેદન
અન્ય મહાનગરોમાં વીક એન્ડ કર્ફ્યૂની કોઈ વિચારણા નથી
સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ થઇ રહ્યા છે વાયરલ
ગાંધીનગર ખાતે યોજેલ પત્રકાર પરિષદને સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કે અન્ય મહાનગરોમાં વીક એન્ડ કર્ફ્યૂની કોઈ વિચારણા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ લાગેલા કર્ફ્યૂ સિવાય અન્ય કોઈ રાત્રિ કર્ફ્યૂની વિચારણા કરાઈ નથી.
સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ થઇ રહ્યા છે વાયરલ
તેમણે એમ પણ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે અફવાઓ ચલાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી કારણ કે, કરોડો નાગરિકો પોતાનો ધંધો-રોજગાર જરૂરીયાત પ્રમાણે મેળવે છે માટે સરકારને તમામની સ્થિતિને જોઇને યોગ્ય નિર્ણય કરશે.
પાનના ગલ્લા અને ચાની કિટલી બંધ કરવા અંગે નિવેદન
રાજ્યમાં પાનના ગલ્લા અને ચાની કિટલી બંધ કરવા અંગે નિવેદન આપ્યું હતું કે,રાજ્ય સરકારનો ઉદેશ્ય છે કોઇપણ સ્થળે ભીડ ન થવી જોઇએ. તે પછી પાનનો ગલ્લો હોય કે ચાની કિટલી કે પછી કરિયાણાની દુકાન. ભીડ થશે તો સંક્રમણ થવાની શક્યતાઓ વધે છે. માટે લારી-ગલ્લા વાળા જ ભીડ કરે છે તે સાચુ નથી. આ અંગે તમામ લોકોને કહેવામાં આવ્યું છે, તમામ વસ્તુઓ ગ્રાહકોને આપી દેવી. નાસ્તાવાળાને પણ કહેવામાં આવ્યું છે કે નાસ્તો પેક કરીને આપી દેવો સ્થળ પર ગ્રાહકને ખાવા માટે આપવો નહીં. ભીડ ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્કતાથી કાર્ય કરી રહ્યા છે, મીડિયાના મિત્રોને પણ પુરતો સહકાર મળી રહ્યો છે.
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.
ગુજરાતમાં બહારથી આવતા લોકો માટેના ટેસ્ટ અંગે નિવેદન
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે. રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે થઇને આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે અને મહારાષ્ટ્ર જેવી વ્યવસ્થા ગુજરાતમાં ઉભી નહીં કરાય.