અમદાવાદમાં તંત્રની લાપરવાહી સામે આવી છે. નવી GMDC ગ્રાઊન્ડમાં શરૂ થયેલી ધન્વંતરિ હોસ્પિટલ બહાર બે લોકોના મોત થયા છે.
અમદાવાદમાં તંત્રની લાપરવાહી કારણે વધુ 2 દર્દીના મૃત્યુ
અમદાવાદમાં નવી શરૂ થયેલી ધન્વંતરિ હોસ્પિટલ બહાર 2 દર્દીના મૃત્યુ
ધન્વંતરિ હોસ્પિટલમાં 108માં આવનાર દર્દીને જ સારવાર અપાઇ રહી છે
અમદાવાદમાં તંત્રની લાપરવાહી સામે આવી છે. નવી GMDC ગ્રાઊન્ડમાં શરૂ થયેલી ધન્વંતરિ હોસ્પિટલ બહાર બે લોકોના મોત થયા છે. ધન્વંતરિ હોસ્પિટલે રીક્ષામાં આવેલા દર્દીઓને દાખલ ન કર્યા અને હોસ્પિટલમાં દાખલ ન કરતા હોસ્પિટલ બહાર જ 2 દર્દીના મૃત્યુ થયા હતા.
સળગતા સવાલ
શું કોરોના દર્દીને 108 ના મળે તો સારવાર જ નહીં કરો?
મોટા નેતાઓ શું 108માં હોસ્પિટલમાં દાખલ થયા હતા?
સામાન્ય જનતા અને મંત્રીઓ અને નેતાઓ માટે નિયમો કેમ અલગ?
મોટી મોટી હોસ્પિટલો માત્ર મંત્રીઓ અને નેતાઓ માટે જ બનાવી છે?
દર્દીઓ હોસ્પિટલ બહાર દમ તોડી રહ્યા છે અને તમે બકવાસ નિયમો બનાવી
તંત્ર નિયમોના કારણે દર્દીઓ હોસ્પિટલ બહાર દમ તોડી રહ્યા છે
108માં નહીં જાઓ તો સારવાર ન મળે આવો નિયમ કોણે બનાવ્યો?
અત્યારે દર્દીઓને સારવાર મળે તે જરૂરી છે કે આવા અણઘડ નિયમો જરૂરી છે?
108માં જે દર્દી નથી આવતા તેમને તમે પ્રાથમિક સારવાર તો આપી શકો કે નહીં?