ગુજરાતમાં કોરોનાની સ્થિતિનિ ગંભીરતા જોતા કેન્દ્ર સરકરા દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરા માટે ખાસ બંદોબસ્ત માટે પેરામિલિટરી મોકલવામાં આવી છે. અમદાવાદના કોટ વિસ્તારની પેરામિલિટરી દ્વારા સજ્જડ કિલ્લેબંધી કરવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ડિજિટલ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
BSF-RAFની કંપનીઓ તહેનાત કરાશે
અમદાવાદમાં પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવાઇ
BSF અને CISFની 6 કંપનીનો સમાવેશ
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી.અને કહ્યું કે, રેડ ઝોનમાં અને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં અને તે વિસ્તારમાં સંક્રમણ બહારના વિસ્તારમાં ફેલાય નહીં તે માટે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.
અમદાવાદમાં કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી
કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવવામાં આવી છે. જેમાં 6 કંપની BSF અને એક કંપની CISFનો સમાવેશ થાય છે. જેમાંથી અમદાવાદના કન્ટેઈન્મેન્ટ એરિયા માટે બીએસએફની ચાર કંપનીઓ ફાળવવામાં આવી છે. અને સાથે જ RAFની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉ 3 અને હાલની પાંચ કંપનીઓ મળી કુલ 8 કંપનીઓ કન્ટેઈમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં એસઆરપી અને પેરામિલિટરીની મળીને કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે.
વડોદરામાં હાલ પેરામિલિટરીની 2 ટીમ તહેનાત છે
વડોદરામાં હાલ 2 કંપની પેરામિલિટરીની તહેનાત છે, સુરત શહેરમાં અગાઉ 3 કંપની ફાળવવામાં આવેલ હતી તે ઉપરાંત વધુ 3 કંપની પેરામિલિટરી ફાળવવામાં આવી રહી છે.
સુરતના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર માટે કુલ 6 ટીમ ફાળવાઇ
સુરતના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર માટે કુલ 6 કંપની ફાળવવામાં આવશે.સાથે કહ્યું કે ધાર્મિક આયોજનો અને મેળાવડા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદના ગુરુદ્વારામાં ભેગાં થયેલાં લોકો વિરુદ્ધ કેસ કરાયો છે.