ગુજરાતમાં કોરોનાની સ્થિતિનિ ગંભીરતા જોતા કેન્દ્ર સરકરા દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરા માટે ખાસ બંદોબસ્ત માટે પેરામિલિટરીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો શ્રમિકોની માદરે વતન જવા માટે થઇને વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજ્યની કાયદાકીય સ્થિતિને લઇને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ડિજિટલ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
લોકડાઉનનું પાલન ન કરનારને લઇ DGPનું નિવેદન
અસામાજિક તત્વો સામે લેવાશે કડક પગલા
પોલીસ પર હુમલો કરનારને છોડવામાં નહીં આવે
પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે રાજ્યની પોલીસ પગલાં ભરી રહી છે. જેના કારણે નાગરિકને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ આ પગલાં લેવા જરૂરી છે. લોકો સહકાર આપે તો પોલીસને પણ ગુનો દાખલ કરવાની જરૂર જ ન પડે.
શ્રમિકો શાંતિ જાળવે
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, શ્રમિકોને ના પાડવામાં આવી હોવા છતાં અમુલ લોકો પગપાળા વતન જઈ રહ્યા છે. તેવામાં આદેશ આપવામાં આવ્યો છે કે, આવાં લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા સાથે તંત્ર સાથે સંપર્ક સાધી તેઓને વતન મોકલવામાં આવશે.
પોલીસ પર હુમલો કરનારને છોડવામાં નહીં આવે
લોકડાઉનનો ભંગ કરતાં અને પોલીસ ટીમ પર હુમલો કરતાં લોકોને ફરી એકવાર રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ચેતવણી આપી..અને કહ્યું કે પોલીસની ટીમ પર હુમલો કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. આ ઉપરાંત વતન જવા માટે એકઠાં લોકોને પણ અપીલ કરી કે, કોઈએ અફવામાં ન આવવું. જે લોકોને વતન મોકલવા વ્યવસ્થા થશે તેમને જાણ કરવામાં આવશે.
CCTV દ્વારા 81 લોકોનો કરાઇ અટકાયત
અત્યાર સુધી રાજ્યમાં 26544 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે આ સાથે જ CCTV ફૂટેજ આધારે ગઈકાલે 81 લોકોની અટકાયત કરવામાં આવી હતી તો અત્યાર સુધીમાં ડ્રોનથી કુલ 11878 ગુનાઓ નોંધાયા છે.