ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ડિજિટલ પ્રેસથી રાજ્યમાં કાયદો વ્યવસ્થા અંગેની સ્થિતિ જણાવી હતી.
મંજૂરી વિના મુસાફરી કરતા લોકોને આગળ જવા દેવાશે નહી
તબલિગી જમાત દ્વારા જાહેરનામા ભંગ મુદ્દે કેસ નોંધાયા છે
સુરા જમાતના લોકો સામે 22 ગુના દાખલ કરાયા છે
લોકો બિન અધિકૃત રીતે પ્રવાસ ન કરે. પાસ મેળવીને જ લોકો પ્રવાસ કરે. ધાર્મિક પ્રવાસે ગયેલા લોકો પાસ લઇ પરત આવી શકશે. તમામ લોકોને તબક્કાવાર પોતાના વતન પહોંચાડાશે. અમદાવાદથી 2 ટ્રેન ઉત્તરપ્રદેશ જશે. મુસાફરી કરનાર તમામ લોકોની મેડિકલ તપાસ કરાશે. લક્ષણ હોય તેવા લોકોને મુસાફરી નહી કરવા દેવાય. મંજૂરી વિના મુસાફરી કરતા લોકોને આગળ જવા દેવાશે નહી. ગેરકાયદેસર રીતે મુસાફરી ન કરવા લોકોને અપીલ છે.
સુરા જમાત સામે 22 ગુના દાખલ
તબલિગી જમાત દ્વારા જાહેરનામા ભંગ મુદ્દે કેસ નોંધાયા છે. સુરા જમાતના લોકો સામે 22 ગુના દાખલ કરાયા છે. સંક્રમણ ફેલાતુ અટકાવા તકેદારી જરૂરી છે.
સોશિયલ મીડિયા પર અફવા ફેલવવા મુદ્દે 608 ગુનામાં 1282 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અફવા ફેલાવતા 552 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે ગ્રીન ઝોન, રેડ ઝોન વિશે જણાવ્યુ હતુ
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રેડ અને ઓરેન્જ ઝોનમાં જેવી રીતે કડક અમલવારી થઈ રહી છે તેવી ગ્રીન ઝોનમાં કરવામાં આવશે. ગ્રીન ઝોનમાં સંક્રમિત વ્યક્તિ ન આવે તેનું વિશેષ ધ્યાન રખાશે. રેડ ઝોનના લોકો સાવચેતી રાખે કે આ ધ્યાને રાખવું જરૂરી છે. રેડ ઝોનના લોકો આ સાવચેતી રાખશે તો જ ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં જઈ શકશે. આવશ્યક પાસનો દૂરુપયોગ કરનારને છોડાશે નહીં. બહાર ફસાયેલા લોકોની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.