લોકડાઉન વચ્ચે પણ મુસારોની હેરાફેરી કરતાં લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે. રાજ્યના DGPએ લોકોને ફરીવાર અપીલ કરી છે કે, કામ વિના બહાર નીકળવું નહીં. તેમજ આવા સમયે મુસાફરી પણ ન કરવી. તેમણે કહ્યું, મુસાફરોની હેરાફેરીની મનાઈ હોવા છતાં જૂનાગઢમાં એક ટ્રસ્ટની એમ્બ્યૂલન્સ ધ્યાને આવી હતી.જેમાં મુસાફરોને લઈ જવાઈ રહ્યા હતા. તેના વિશે પણ DGPએ લાલઆંખ કરતા જનતાને સંયમમાં રહેવા તાકીદ કરી હતી.
મુસાફરોની હેરાફેરી બંધ કરો, નહીં સુધરો તો થશે કડક કાર્યવાહી
હજુ નથી થઈ રહ્યું લોકડાઉનનું પાલન, ખોટી રીતે બહાર ન નીકળવા અપીલ
સોસાયટીમાં એકઠાં ન થવા સૂચના, ધાર્મિક સ્થળે ભીડ ન કરવા વિનંતી
DGPએ શું કહ્યું ?
લોકડાઉનમાં કડક અમલ માટે પોલીસ કામ કરી રહી છે. માલવાહક વાહનોમાં લોકોની હેરાફેરી ન થાય તેના પર નજર છે. લોકોની હેરફેર કરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે
જૂનાગઢમાં એક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી કરાઈ
ગુજરાતની જનતાને અનુરોધ કરીએ છીએ કે મુસાફરી ન કરો. કેટલાક શહેરી વિસ્તારમાં લોકડાઉનનુ યોગ્ય પાલન થતુ નથી. સોસાયટીઓમાં લોકો એકઠા થતા હોવાની બાબતો સામે આવી છે.
એકઠાં ન થશો
ધર્મસ્થળો પર વધુ લોકો એકઠા થશે તો કાર્યવાહી થશે. તહેવારોના સમયમાં જનતાને અપીલ કે એકઠા ન થશો. ધાર્મિક ઉજવણી લોકડાઉન દરમિયાન ઘરેથી જ કરો. ધર્મસ્થળો પર લોકો એકઠાં ન થાય તેની તકેદારી રાખો.