ગુજરાતમાંથી 72 લોકો દિલ્હી તબલીગી જમાતમાં ગયા હતા. આ અંગેના શહેર વાઈઝ આંકડા જણાવતા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ગુજરાતમાં બીજી પણ મહત્વની વિગતો જણાવી હતી. ગુજરાતમાં હાલ કોરોનાની સંખ્યા વધી રહી છે ત્યારે તેને કાબુમાં રાખવા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા હોવાની પણ વાત કરી હતી.
અમદાવાદમાંથી 34 જણાએ દિલ્હી તબલીગી જમાતમાં ભાગ લીધો હતો.
ગુજરાતમાંથી 72 લોકો દિલ્હી ગયા હતા
ધાર્મિક સ્થળોએ પણ કરાશે ચેકિંગ
ગુજરાતમાં પોલીસવડાએ મોટો નિર્ણય લીધો છે જેમાં દરેક ધાર્મિક સ્થળના ચેકિંગની વાત કરી હતી એટલું જ નહીં પરંતુ જયાં ચારથી વધારે લોકો હશે તેની સામે કેસ થશે. તેવી પણ પોલીસ વડાએ જાહેરાત કરી હતી.
ગુજરાતમાંથી કુલ 72 લોકો દિલ્હી ગયા હતા.
અમદાવાદમાંથી 34
ભાવનગરમાંથી 20
મહેસાણામાંથી 12
બોટાદમાંથી 4
નવસારી 2
લોક઼ડાઉનના અમલ માટે પોલીસ કામ કરી રહી છે
દરેક અધિકારી બંદોબસ્તમાં કડક સૂચનાનું અમલ કરે. શહેરમાં ACP અને DCP સહિતના અધિકરી જવાબદારી સોંપાઇ છે. વાહન વ્યવહાર અને RTO કર્મીઓ પોલીસ વિભાગ સાથે કામગીરી કરશે. વન વિભાગના કર્મીઓ મદદ લેવામાં આવી રહી છે. ખાનગી સિક્યોરિટી સંસ્થાના કર્મચારીઓની પણ મદદ લેવાશે
ડ્રોનની મદદથી લોકડાઉન સફળ
153 ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 173 ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન ફૂટેજથી અત્યાર સુધી 398 ગુના દાખલ કરાયા છે. 368 લોકોની ધરપકડ કરાઇ છે
લોકો અમને માહીતી આપે તો સારૂ
લોકો પણ પોલીસને માહિતી આપી શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને લોકો જાણ કરે. હાઇવે પર વાહનોને અટકાવવામાં નહી આવે. વાહન ખાલી જતુ હોય તો પણ નહી અટકાવાય.