ગુજરાતમાં કોરોના સંકટમાં આંકડા કાબૂમાં નથી આવી રહ્યા થયેલા ટેસ્ટ અને પોઝિટિવ કેસની સામે મૃત્યુની સંખ્યા ચોંકાવનારી છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ દરરોજ 22 લોકોના મોત થઈ રહ્યા છે. વળી સરેરાશ કેસની સંખ્યા પણ જોઈએ તો 345 જેટલા કેસ રોજ વધી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ 22 લોકોના કોરોનાથી મોત
21 એપ્રિલના રોજ 90 લોકોના કોરોનાથી મોત, 21 મેના રોજ આ આંકડો 749
21 એપ્રિલના કેસની સંખ્યા 2178 હતી જે એક જ મહિનામાં વધીને 12539 થઈ છે. અને મૃત્યુ જોઈએ તો 21 એપ્રિલના રોજ 90 લોકોના કોરોનાથી મોત થયા હતા જ્યારે 21 મે ના રોજ આ આંકડો 749 છે. મૃત્યુ જોઈએ તો છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં કોરોનાને કારણે સરેરાશ 22 લોકોના મોત થાય છે.
અમદાવાદ મોખરે
અમદાવાદમાં આંકડા જોઈએ તો 21મી એપ્રિલે અમદાવાદમાં 1373 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 53 લોકોના મોત થયા હતા. જ્યારે 21મી મે સુધીની સ્થિતિ જોઈએ તો હાલ અમદાવાદમાં 9216 કેસ છે અને 602 લોકોના મોત થઈ ચુક્યા છે. 21 એપ્રિલ 2020 સુધીમાં સુરતરતમાં 347 કેસ હતા અને 12 લોકોના મોત થયા હતા. જ્યારે આજની સ્થિતિએ સુરતમાં 1193 કેસ નોંધાયા છે. 56 મોત નોંધાયા છે.
સરેરાશ મોત વધુ
ગુજરાતમાં કોરોનાથી સરેરાશ સૌથી વધુ મોત નોંધાયા છે. હાલ ગુજરાતમાં દર 100 કોરોનાગ્રસ્ત વ્યક્તિમાંથી 6 લોકો મૃત્યુ પામે છે. જ્યારે દેશમાં આ દસ 3 ટકા જ છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે એવા મહારાષ્ટ્રમાં પણ મૃત્યુદર ખાલી 3.5 ટકા જ છે. એટલે ગુજરાત માથે કોરોનાસંકટનો ખતરો તોળાઈ રહ્યો છે.